________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૨૩
હા... તેવા લાભ લેવા માટે સારી વસ્તુઓને પરિગ્રહ કદાપિ કરે નહિ; પણ સહજ રીતે પ્રાપ્ત વસ્તુને લાભ લીધા વિના કદી રહેવું નહિ.
પછી તેવી બીજી વસ્તુ મળશે કે નહિ મળે? તેની કદી ચિન્તા કરવી નહિ. “ત્યાગે ઉસકે આગે. ”
આવી રીતે એકબીજા વચેનું સાધર્મિક – પ્રેમનું સંભારણું સંપન્ન થતાં ક્યારેક મોટા લાભે થઈ જશે. (૩૪) અભિગ્રહ કરવા ? | મુનિજીવનની રક્ષા અભિગ્રહની નાકાબંધી કરવાથી. છે. સામર્થ્ય કેળવીને – બાધાઓ તેડવાની નિર્માલ્યવૃત્તિપૂર્વક નહિ જ – જેમ બને તેમ વધુ દ્રવ્ય, ક્ષેત્રાદિના અભિગ્રહ કરવા. આથી વર્માન્તરાય આદિ કર્મનો જમ્બર ક્ષપશમ થાય છે. શાસ્ત્રમાં વિચિત્ર અભિગ્રહ [ નદી. વચ્ચે ઊભે રહેલે હાથી સૂંઢથી લાડુ વહેરાવે ત્યારે જ પારણું કરવું વગેરે ] ખેમષિ વગેરેએ કર્યાના પ્રસંગે આવે છે. આપણે પણ છરીથી કઈ શાક વહેરાવે; બાજુમાં બિલી ઊભી હોય અને કોઈ ભાત વહેરાવે ત્યારે જ તે. શાક કે ભાત ખુદલા કરવા....વગેરે ટચૂકડા અભિગ્રહે તે. જરૂરી કરી શકીએ. (૩૫ રેચક દ્રવ્ય વધુ ન લેવાં?
પેટની વારંવાર ગરબડ, કબજિયાત થતાં ઉણાદરી, લાંબા ઉપવાસ આદિ કરવાને બદલે રોજ દિવેલ વગેરે.