________________
મનિજીવનની બાળપોથી–૨
હાય ! મારી વધુ પડતી બુદ્ધિમત્તાએ આ તારવણ કાઢીને જ મારુ સત્યાનાશ કાઢ્યું છે. જોરદાર વિદ્વતા, પ્રશંસનીય વ્યાખ્યાનશક્તિ, ઉગ્ર તપશક્તિનુ; અનેક શિનું ગુરુવ વગેરે મારી પાસે હોવા છતાં અહે ! ભીતરમાં વાસનાઓથી ભડકે જલતે મારે આતમ ! હાય ! આજે જ મેં કરેલા અમંગલનું મને ભાન થયું. હવે જ ગુરુકૃપાનો મહિમા સમજાયે.
ના...એ કઈ કલ્પના નથી, એ કઈ શ્રદ્ધામાત્રની વસ્તુ નથી; એ એટલે જ વાસ્તવિક પદાર્થ છે જેટલો હું પિતે છું. મારે તેની પાછળ પડવું છે. હું જાણું છું કે
એ કૃપા પામવા માટે બધા અહંકાર અને અરમાનેને મારા પગ નીચે મારે ચૂરી નાંખવા પડશે.
રે! મારા સમગ્ર જીવનની મારે ખેતી કરી નાખવી પડશે. પશ્ચાત્તાપના ઊના ઊના આંસુથી જ એ ખેતરને સચવું પડશે. ધીરજ પૂરી ધરવી પડશે.
હાબધું જ કરીશ. ગુમાવેલું બધું મેળવી જ લેવું હશે તે બધું કરવું જ પડશે. હું પણ તૈયાર છું.
મારે તે વાસનાના પિંડમય મારી જાતને ઓગાળી નાખવી છે; એ માટે જે કાંઈ થાય તે કરી છૂટવું છે. લઈ લે કે મારી વિદ્વત્તા, તપશક્તિ, શાસનપ્રભાવતા... અને બદલામાં મને આપ કઈ વાસનાઓની પૂર્ણ શાન્તિ.
આ સેદા કરવા ય હું તૈયાર છું. હું મરી જાઉં અને તે દી મારી વાસનાઓ જે જીવતી જ રહી ગઈ હોય