________________
૪૦
મુનિજીવનની બાળપોથી–૨
મુનિસંઘની ગૌરવાન્વિતને વિશિષ્ટતાને જાળવવા ખાતર પણ દરેકે બે વખત લેચ કરાવવું જોઈએ. (૯) નિત્ય એકાશન અને ઉણાદરી
જે શારીરિક આરોગ્યને ખાસ વધે ન હોય તે એગભરં ચ ભોયણુને શાસ્ત્રવાદ બરોબર આચર જોઈએ. બીજે મેટો તપ કદાચ ન જ થાય; અને માત્ર અખંડિત એકાશન તપ કરાય તે પણ તે ખેટું નથી.
અખંડિત–એકાશન-તપ કરનારા ભાગ્યવાન મહામાઓ આજે પણ સારી સંખ્યામાં છે. દીક્ષાગ્રહણના દિવસથી ૧૦, ૧૫, ૨૦-૨૦ વર્ષ સુધી એકાશનનું અખંડ વ્રત આજે પણ છે.
પરન્તુ કેટલાકને આ વ્રત ૧૦, ૧૫ વર્ષ બાદ પણ છેડવું પડ્યું છે. આરોગ્ય બગડવાથી જ તેમણે આ વત મૂકયું હોય એ સમજી શકાય તેવી વાત છે. પણ આવી સ્થિતિ પેદા કેમ થઈ ?
- તેનું મુખ્ય કારણ એકાશનમાં પેટ ભરીને કે તેથી પણ ડું વધુ વાપરવા અંગેનું લાગે છે. આપણે ત્યાં ઉદરી’નું જે વ્રત બતાવ્યું છે તે આ એકાશનમાં જે જોડવામાં આવે તે પ્રાયઃ આ વ્રત મૂકવાની ફરજ ન પડે.
બેશક, ઉપવાસ કરે સહેલ છે, પણ ઉદરી અઘરી છે. પરંતુ તેના વિના અખંડ-ત્રતધારણને અપાર આનંદ માણી શકાય તેમ નથી.