________________
મુનિજીવનની બાળપોથી-૨,
જીવોની હિંસાનું કારણ બની જતાં ઉપકરણ મટીને અધિકરણ બને છે. ડોલમાં જે ફીણ પડ્યું હોય તો તેમાં માખી પડતાંની સાથે જ ચૂંટી જાય છે. (૨૫) સુંઠી પાતરીમાં પાણ; પરાત પાસે કાપ ?
ઘડાથી એંઠી પાતરીમાં કદી પાણી ન લેવું. ઘડાનું પાણી જરાક પણ જોરથી તે પાતરીમાં પડે કે તરત તે પણ એંઠું થઈને તેને છાંટે પાછે તે જ ઘડામાં પડી જાય. પૂરી સાવધાની રાખવાથી વધે ન આવે, પણ પાપભીરુ આત્માએ આવું સાહસ કરવાની જરૂર નથી. એક નિયમ જ બનાવી દે કે પતરી વગેરે પૂરેપૂરા લુછયા પછી જ તેમાં ઘડા વગેરેનું પાણી લેવું.
આ જ રીતે જ્યાં પાણી ઠારેલું હોય તેની નજીકમાં કાપ ન કાઢવે કે લૂણાં પણ ન કાઢવાં. જરાક બેદરકાર રહી જવાશે તે તરત તે પરાતના પાણીમાં છાંટા ઉડી જશે. (૨૬) સાંજે દેરાસર)
જે વસતીથી સે ડગલાની અંદર જ જિનાલય હોય તે સાંજે પણ દર્શન કરવા જવું જોઈએ. અન્યથા આ નિયમ નહિ. પણ સાંજે જિનાલયમાં દર્શન કરવા જનારે દિવા–લાઈટ થતાં પહેલાં જ દર્શન કરી આવવાને નિયમ રાખવું જોઈએ. ક્યારેક સમયસર જવાનું ચૂકી જવાય તે દીવા-લાઈટમાં તે ન જ જવું. “ન ગયાને” અમુક દંડ રાખી દે.