________________
है ही अहं नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः।
છે નમઃ |
સૂરિપુરંદર, યાકિનીમહારાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત ક્ષલિસ્તવિક્તા
શબ્દશઃ વિવેચન
ભાગ-૨
અવતરણિકા -
एवंभूतैः स्तोत्रैर्वक्ष्यमाणप्रतिज्ञोचितं चेतोभावमापाद्य पञ्चाङ्गप्रणिपातपूर्वकं प्रमोदवृद्धिजनकानभिवन्द्याचार्यादीन् आगृहीतभावः सहृदयनटवद् अधिकृतभूमिकासंपादनार्थं चेष्टते वन्दनासंपादनाय, स चोत्तिष्ठति जिनमुद्रया, पठति चैतत् सूत्रम्-अरिहंतचेइयाणं ति।
अनेन विधिनाऽराधयति स महात्मा वन्दनाभूमिकाम, आराध्य चैनां परंपरया निवृत्तिमेति नियोगतः; इतरथा तु कूटनटनृत्तवदभावितानुष्ठानप्रायं न विदुषामास्थानिबन्धनम्, अतो यतितव्यमत्रेति। અવતરણિકાર્ચ -
આવા પ્રકારનાં સ્તોત્રો વડેeતમુત્યુર્ણ સૂત્ર બોલ્યા પછી પ્રાયઃ તેના જેવા જ ભાવોને કહેનારાં રાગાદિ વિષના પરમ મંત્રરૂપ બને એવા પ્રકારનાં સ્તોત્રો વડે, વચમાણ પ્રતિજ્ઞાને ઉચિત ચિતના ભાવને સંપાદન કરીને=ચૈત્યવંદન કરવાને અનુકૂળ કેવું ચિત્ત પ્રગટ કરવું જોઈએ તેના માટે આગળ પ્રતિજ્ઞા કરવામાં આવશે તેને ઉચિત ચિતને સ્તોત્રોથી સંપાદન કરીને, પંચાંગ પ્રણિપાતપૂર્વક પ્રમોદની વૃદ્ધિના જનક એવા આચાર્ય આદિને વંદન કરીને આગૃહીત ભાવવાળા=ભગવાનના ગુણોના ભાવોને સ્પર્શી શકે તેવા પ્રાપ્ત થયેલા પરિણામવાળા સાધુ કે શ્રાવક, સહદય નટની જેમ= જે પ્રકારે ચેષ્ટા કરે છે તેવા જ ભાવોને સ્પર્શે તેવા હદયવાળા નટની જેમ, અધિકૃત ભૂમિકાના સંપાદન માટે-ચૈત્યવંદન ભાવથી નિષ્પન્ન થાય તેવી અધિકૃત ભૂમિકાના સંપાદન માટે, ચેષ્ટા કરે છે અને ત=સાધુ કે શ્રાવક, વંદના સંપાદન માટે જિનમુદ્રાથી ઊભો રહે છે અને આ અરિહંત ચેઈયાણ સૂત્રને બોલે છે.