________________
૩૭ અને શુદ્ધ ન્યાય સત્વર મળે તેવી વ્યવસ્થા કરી, અને રાજા ને પ્રજા વચ્ચે ભક્તિનાં બંધને દઢ કર્યા. આ બધા સુધારા તેણે પ્રજાની સંમતિથી કર્યા હતા, પણ દરેક વખતે પ્રજાના પ્રતિનિધિઓને બોલાવી તેમની ઈચ્છા જાણવામાં આવતી નહોતી. સાઈમન ડી મોન્ટફીનું અનુકરણ કરીને એડવર્ડ એક પગલું આગળ વગે; તેણે અમીરે, પાદરીઓ, ગરાસીઆ અને સામાન્ય શહેરીઓના પ્રતિનિધિઓને નોતર્યા, અને પહેલી જ વાર સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી પાર્લમેન્ટ બોલાવી. જો કે હાલની પાર્લમેન્ટ કરતાં તેમાં થોડા ઘણા ફેરફાર હતા, છતાં તે આદર્શ પાર્લામેન્ટ”ના નામથી ઓળખાય છે.
| વેલ્સ, ઑટલેન્ડ, અને ફ્રાન્સની ચઢાઈના ખર્ચ માટે એડવર્ડને વારંવાર માણાંની જરૂર પડતી, અને તેથી પ્રજાની સંમતિ વિના તેમના પર કરનો બોજો પડતો. રાજા કોઈ વાર અમરે અને ગરાસીઓ પાસેથી કરજે નાણાં લેતા. પરિણામે પ્રજામાં પિકાર ઊઠશે, અને તેથી રાજાએ પાર્લમેન્ટ બેલાવી પિતાની ભૂલ કબુલ કરી નાણાંની માગણી કરી. પ્રજાએ આના બદલામાં મેટા પટ્ટા પ્રમાણે ચાલવાની કબુલાત ઉપરાંત બીજા કેટલાક હકે પણ માગ્યા, અને તે રાજાને કબુલ રાખવા પડ્યા.
એડવેના સમયમાં રાજ્યબંધારણમાં પણ અગત્યના ફેરફાર થયા હતા. એ પ્રતાપી અને ઉદાર હૃદયના રાજાએ લોકકલ્યાણ સાધવા માટે પિતાની સર્વ શક્તિ વાપરી હતી. જે પરદેશી ઝગડામાં તેનું મન દોડયું ન હોત, તો દેશમાં વધારે સુધારા થાત. અલબત, ર્કોટલેન્ડ અને વેલ્સના લોકો પ્રત્યે તેણે કરતા દર્શાવી હતી, અને તેણે યાહુદીઓને ગેરવાજબી રીતે દેશપાર કર્યા હતા; પણ તેણે રાજ્યવહીવટમાં લોકશાસનનાં ઉદાર તત્તે દાખલ કર્યા હતાં. છતાં તેના મનમાં એવી ખુમારી હતી કે રાજસત્તા સર્વોપરિ હેવી જોઈએ. એડવર્ડ મહાન હત; તેણે દેશના ઈતિહાસ ઉપર અવનવી છાપ પાડી. - એડવર્ડ બીજો: ૧૩૦૭–૧૩૨૭. પ્રતાપી એડવંર્ડના મરણ પછી તેને નિર્મળ મનનો અને વિલાસી પુત્ર એડવર્ડ બીજે ગાદીએ આવ્યો. તેનામાં તરવાર રજુ કરીને કહ્યું, કે “આ મારી સનંદ. આ તરવારથી મારા પૂર્વજોએ વિલિયમ (લાના સમયમાં જાગીર મેળવી હતી, અને એ વડે હું જાગીરનું રક્ષણ કરનાર છું”