________________
૧૫૭..
યન પંથ પ્રસરશે, એવી આશાએ ચાર્લ્સની મદદ્દે ધાયા. આ બનાવને જે પ્રજાવિગ્રહ કહે છે.
બીજો પ્રજાવિગ્રહઃ ૧૬૪૮. હેમિલ્ટનના નમાલા ઠાકારની સરદારી નીચે સ્કાટ લાકે અને રાજપક્ષના ઉત્સાહી માણસે સરહદ ઓળંગી ઉતરી આવ્યા. ઈંગ્લેન્ડમાં કેટલેક સ્થળે અંડબખેડા થયા. ક્રોવેલ અને ફેરસે કેન્ટ અને ઈ સેકસમાં ઊઠેલાં અંડે। શમાવી દીધાં. નૌકાસૈન્યના કેટલાક ભાગ ફરી બેઠા, અને યુવરાજની સરદારી નીચે એક ટુકડીએ લંડન પર હલ્લો કર્યો; પરંતુ લંડનવાસીઓએ દરવાજા બંધ કરી દીધા, રાજાના નામના હર્ષના પાકાર ન કર્યાં, અને લશ્કરને ખારાક પણ ન આપ્યા. આ તરફ સ્કાટ સૈન્ય પ્રેસ્ટન સુધી આવી પહોંચ્યું. તેને ક્રોમ્બેલે હરાવી નસાડી મૂકયું, અને તેમની પૂંઠ પકડી વિગન પાસે હરાવ્યું. આથી સ્કાટ લાકા શરણે આવ્યા, અને વિગ્રહના અંત આવ્યા.
~ રાજાના ઇન્સાફઃ હવે શું કરવું? એવચની, ખટપટી, અને હત્યા ચાર્લ્સ જેણે સમાધાનીને ઢાંગ કરી દેશમાં યુદ્ધ જગાડયું, તેને શે ઈન્સાફ કરવા? દેશમાં સત્તાધીશ થઈ પડેલા સૈન્યે પાકાર ઉઠાવ્યા, કે એ જીવતા રહેશે ત્યાં સુધી દેશમાં શાંતિ રહેશે નહિ, માટે એને તે બરાબર ઈન્સાફ મળવા જોઈ એ. પાર્લમેન્ટ છેક આટલી હદ સુધી જવા તૈયાર ન હતી; એટલે આવા ઉદ્દામ મતવાળાઓને બહુમતી મળે એવું ન હતું.ગમે તેમ થાય, ગમે તે ઉપાય લેવા પડે, પણ રાજાને તે બરાબર શિક્ષા કરવીજ, એવા નિશ્ચય સૈન્યે કયે એક દિવસ કર્નલ પ્રાઈડ વિરુદ્ધ મતવાળા અને લશ્કરનું ધાર્યું કરવામાં આડા આવે તેવા સભ્યાના નામની ટીપ લઈ તે પોતાના સિપાઈ એ સહિત પાર્લમેન્ટના દરવાજા પાસે ઉભા રહ્યો, અને પેલી ટીપમાં જેનું નામ લખ્યું હાય, તેને અંદર જતાં અટકાવવા લાગ્યા. આ કાર્યને પ્રાઇડના જીલામ'ના નામથી એળખવામાં આવે છે. આ પ્રમાણે વિરુદ્ધ મતના ૧૪૦ સભ્યાને બહાર રાખી અંદર ગએલા આશ ૫૩ સભ્યાએ કામ ચલાવ્યું.૧ તેમણે ઠરાવ્યું કે પ્રજા અને પાર્લમેન્ટમા અનેક રીતે દ્રોહ કરનાર ચાર્લ્સ ઉપર ન્યાયની અદાલતમાં કામ ચાલવું.
૧. અંદર રહેલા સભ્યાની બનેલી પાર્લમેન્ટને ‘ઠુંઠી’ (Ramp) કહેવામાં આવે છે.