________________
૧૭૬
ઘરબાર તજી વિશાળ જગતની ઓથે નીકળી પડયા. એમાંને ઉત્સાહી લેકએ સ્વતંત્ર ધર્મસમાજ સ્થાપી વ્યાખ્યાનો આપવા માંડ્યાં, એટલે પાર્લમેન્ટ સભાબંધીને કાયદે કર્યો. ઈ. સ. ૧૬૫૫માં મ્યુરિટને ઉપર છેલ્લે મર્મપ્રહાર કરવામાં આવ્ય; તે ધારે એવો હતો કે જે ધર્મગુરુઓ પ્રાર્થનામાળાને સ્વીકારતા ન હોય, તેમણે શાળામાં ભણાવવા જવું નહિ, કે કઈ કઓ કે શહેરની હદમાં વસવું નહિ. આથી અનેક પાદરીઓ ઘરબાર વિનાના થઈ પડયા. તેઓ ખાનગીમાં ધર્મોપદેશ કરી પેટગુજારો કરતા હતા તે પણ બંધ થયું. પરિણામે કાયદાના ભંગના આરોપસર કેટલા માણસોને કેદમાં પૂરવામાં આવ્યા. ભક્તપ્રયાણ (Pilgrim's Progress) ને પ્રસિદ્ધ કર્તા ઓંન બનિયન વ્યાખ્યાન આપતાં પકડાયે, અને બંદીખાનામાં પડે. આ કાયદા “કલેન્ડનનો ધારાસંગ્રહ’ કહેવાય છે; કેમકે રાજાના મુખ્ય મંત્રી કલેન્ડને તેમાં મુખ્ય ભાગ ભજવ્યો. તે મ્યુરિટનેને કટ્ટો વિરોધી હતા. યૂરિટને દેશદ્રોહી અને સ્વતંત્ર મિજાજના છે, એટલે તેમને ગમે તે પ્રકારે કચરી નાખવા જોઈએ, એ મત પાર્લમેન્ટમાં પ્રબળ હતે. લૈંડના ધાર્મિક વિચાર અમલમાં આવતાં રાજાના “ઈશ્વરી હક” સંબંધી ઉપદેશ થવા લાગે. ચાર્લ્સ ૧લે શહીદ હતો એમ મનાયું, અને બીજા સંતો જોડે તેની છબી રાખવામાં આવી. આ રીતે રાજાનું મહત્ત્વ વધવા લાગ્યું. . ચાર્લ્સની પરદેશી રાજનીતિઃ ચાર્લ્સની પરદેશી રાજનીતિને મર્મ સમજવા માટે તેની નાણાંભીડ વિચારવી જોઈએ. પાર્લમેન્ટ તેને ભારે વર્ષાસન આપતી, છતાં તેનો હાથ તંગીમાં રહેતો. નારંગ, જલસા, અને અધમ વાસનાઓની તૃપ્તિમાં નાણાં ઊડી જતાં. હવે યૂરિટનોના સમયની ધાર્મિકતા, પવિત્રતા, અને શુદ્ધિ જતી રહી, અને અનાચારની બદબે ફેલાઈ. આખરે રાજાની દૃષ્ટિ ફ્રાન્સ તરફ વળી. ફ્રાન્સની ગણના યુરેપનાં મહારાજ્યોમાં થતી હતી. તેનો રાજા લુઈ ૧૪ મહત્ત્વાકાંક્ષી અને પરાક્રમી હતા. માતૃપક્ષથી ચાર્લ્સ ફ્રાન્સના રાજકુટુંબન સંબંધી હતા અને પિતે કેથલિક હતો, એટલે ધર્મબંધુ લુઈ તરફ તેનું વલણ થયું. લુઈનો રાજભંડાર ભરેલે હતા, અને તે ચાર્લ્સને ભરપદે નાણું આપવા તૈયાર હતે. ચાર્લ્સ પોર્ટુગલની રાજપુત્રી જોડે લગ્ન કર્યું, એટલે ફન્સ અને ઈંગ્લેન્ડનો સંબંધ ગાઢ થયે