________________
૪૬૩
વરસની બેઠકમાં એકી સાથે ત્રણ વખત પસાર થાય, તે અમીરની સંમતિ વગર પણ તે કાયદો થઈ શકે છે. - (૨) નાણાંકીય બાબતમાં આમની સભાની સત્તા સર્વોપરિ છે. કરવેરા સંબંધી અને નાણાંકીય ખરડા પહેલાં આમની સભામાંજ રજુ કરી શકાય છે. તિજોરી ખાતાને પ્રધાન વાર્ષિક આવક–જાવકનું અંદાજપત્ર તૈયાર કરે છે, અને ચર્ચાને અંતે તેમાં સુધારે–વધારે થયા પછી તે ખરડે અમીરની સંભામાં જાય છે. ઇ. સ. ૧૯૧૩ના કાયદા પછી નાણાં સંબંધી ખરડાઓમાં અમીની સત્તા નહિ જેવી રહી છે; કારણ કે આમની સભામાં પસાર કરેલા નાણાંકીય ખરડાને અમીરની સભા એક માસમાં મંજુરી ન આપે તો તે રાજાની સહીથી પસાર થાય છે.
(૩) અમરેની સભાની માફક આમની સભાને પ્રજાહિતાર્યની બાબતમાં ચર્ચા કરવાનો પૂર્ણ અધિકાર હોય છે. તે સંબંધી પ્રધાનોને પ્રશ્નો પૂછવા (Interpellation) હક હોય છે, અને તે પ્રશ્નો ઉપર વધુ પ્રશ્નો પણ પૂછી શકે છે.
(૪) આ સભા પ્રધાનમંડળ ઉપર પણ દેખરેખ રાખે છે, એટલે આમની સભાએ ઘડેલા કાયદા કારોબારી સભા અમલમાં મૂકે છે કે નહિ, તે જોવાનું કામ પણ તેનું જ છે. પ્રધાનમંડળના કોઈ પણ કાર્ય ઉપર ટીકા કરવાને અને પ્રશ્નો પૂછવાનો આમની સભાને અધિકાર છે. પ્રધાનમંડળની નીતિ આમની સભાને પસંદ ન પડે, તે તેના અગત્યના ખરડાને ફેંકી દે છે, અથવા કોઈ પણ પ્રધાન પર અવિશ્વાસનો ઠરાવ લાવે છે. એટલે પ્રધાનમંડળને રાજીનામું આપવાની ફરજ પડે છે. આથી સમજી શકાય છે કે જે આમની સભા “કેબિનેટને જન્મ આપે છે, તે તેનો નાશ પણ કરી શકે છે. આ પ્રમાણે આમની સભા રાજ્યનાં તમામ અંગે ઉપર પિતાની વિશાળ સત્તા અજમાવી શકે છે. ડી. લેમ નામના લેખકે તેની વિશાળ અને અપરિમિત સત્તાના સંબંધમાં લખ્યું છે, કે * “આમની સભા સ્ત્રીનો * * “It can do everything, but make a woman a man and a man a woman " *
· De. Lolme.