Book Title: Englandno Itihas
Author(s): Mahashankar Popatbhai Acharya
Publisher: Gujarat Oriental Book Depo

View full book text
Previous | Next

Page 484
________________ ૪૭૧ (૪) એકધારી રાજ્યનીતિઃ જો કે જુદાં જુદાં ખાતાંઓને વહીવટ જુદા જુદા પ્રધાને ના હાથમાં હેાય છે; પરંતુ પરદેશનીતિ કે તેવા અગત્યના પ્રશ્નામાં તે એકમત થઈ કાર્ય બજાવે છે, એટલે પ્રધાનમંડળના દરેક સભ્યને પ્રધાનમંડળના બહુમતીથી થએલા નિર્ણય સાથે સંમત થવું પડે છે. ઈટલી અને એબિસિનિઆના પ્રશ્ન ઉપર પરદેશમંત્રી સર સેમ્યુઅલ હારને પ્રધાનમંડળના અન્ય સભ્ય સાથે મતભેદ પડયેા હતેા. પરિણામે સર સેમ્યુઅલ હારે રાજીનામું આપ્યું હતું. (૫) પ્રધાનમંડળની દરેક ચર્ચા છૂપી રાખવી જોઈ એ. પ્રધાનમંડળની ફરજો અને જવાબદારી : (૧) દેશની શાંતિ, જાહેર વ્યવસ્થા, સારા રાજ્યકારભાર, પરરાજ્યનીતિ, નાણાંની વ્યવસ્થા, વેપારઉદ્યોગની ખીલવણી, નૌકા ખાતું, હવાઈ કાલા વગેરેની દેખરેખ તથા સંસ્થાને તેમજ સામ્રાજ્યના ખીજા ભાગેાની દેખરેખ તથા વ્યવસ્થા જાળવવાનું કામ પ્રધાનમંડળનું છે. (૨) સ્વદેશના અને સામ્રાજ્યના ખીજા ભાગેાના મુખ્ય હાદ્દેદારાની નીમણુક રાજા પ્રધાનમંડળની સલાહથીજ કરે છે. (૩) દેશના હિતને માટે જરૂરી ખરડા પ્રધાનમંડળ ધડે છે; અને તેને આમની સભા ટેકે આપે છે. પેાતાના ખાતાના વહીવટ વિષે દરેક પ્રધાનને પાર્લમેન્ટના સભ્યાના પ્રશ્નોને સંતાષકારક જવાબ આપવા પડે છે. તે ધારણ કરેલી નીતિના બચાવને અર્થે દરેક પ્રધાને તૈયાર રહેવું જોઈ એ. (૪) નાણાંકીય ખરડા પ્રધાને રજુ કરે છે. અંદાજપત્ર (Budget) તે તિજોરી ખાતાના પ્રધાન ધડે છે, અને આમની સભામાં રજુ કરે છે. પાર્લમેન્ટે મંજુર કરેલા કરેા વસુલ કરવાનું કામ, અને તેની મંજુરી પ્રમાણે ખર્ચ થાય છે કે નહિ તે જોવાનું કામ પણ પ્રધાનમંડળનું છે. (૫) વડા પ્રધાન પ્રત્યેક રાજકીય બાબતમાં રાજાને સલાહ આપે છે, અને તેને પ્રધાનમંડળના કામકાજથી વાકેફ રાખે છે. (૬) પાર્લમેન્ટની બંને સભાનેા કાર્યક્રમ પ્રધાનમંડળજ નક્કી કરે છે. આ ઉપરથી તમે સમજી શકશેા, કે ઇંગ્લેન્ડમાં રાજાને નામે ચાલતા સમગ્ર રાજ્યતંત્રની દેરીના સંચાલક હાવાનું માન પ્રધાનમંડળને ઘટે છે.

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530