Book Title: Englandno Itihas
Author(s): Mahashankar Popatbhai Acharya
Publisher: Gujarat Oriental Book Depo

View full book text
Previous | Next

Page 491
________________ ૪૭૮ બ્રિટિશ હિં: હિંદના કારભાર માટે હિંદી વજીરની સત્તા સર્વોપરિ છે. તે હિંદના અમલ માટે પાર્લમેન્ટને જવાબદાર હાવાથી હિંદનાં દરેક અમલદારને હુકમ માકલી શકે છે. ઇ. સ. ૧૯૩૫ના કાયદાથી તેની સત્તામાં કાપ મુકાયેા છે; કારણ કે હવેથી જે વિષયે પ્રજાના ચુટાએલા સભ્યાને સોંપવામાં આવ્યા છે, તે વિષયેામાં તે માથું મારી શકે એમ નથી. પરંતુ હજુ પણ ગવર્નરાની ખાસ જવાબદારીના વિષયેામાં તે પેાતાનું ધાર્યુ કરાવી શકે એમ છે. ઇ. સ. ૧૯૧૯ના સુધારાથી પ્રાંતિક વહીવટમાં દ્વિમુખી સત્તા (Diarchy) દાખલ કરવામાં આવી હતી, પણ એ યેાજના સફળ નહિ થવાથી તેમાં યેાગ્ય ફેરફાર કરવા ઇ. સ. ૧૯૨૮માં સાઇમન કમિશન નીમવામાં આવ્યું. આ કમિશનની ભલામણેાથી અને રાઉન્ડટેબલ કાન્ફરન્સની બેઠકાને અંતે હિંદના રાજ્યઅંધારણને નવા ખšા પસાર કરવામાં આવ્યું. આથી પ્રાંતિક વહીવટમાં બધાં ખાતાં પ્રજાના પ્રતિનિધિઓના હાથમાં સોંપાયાં છે; જો કે તેમાં ગવર્નરાની ખાસ જવાબદારીવાળા વિષયેામાં ગવર્નર ધારે ત્યારે પેાતાની ખાસ સત્તાઓને ઉપયાગ કરી શકે એમ છે. મધ્યસ્થ સમવાયતંત્ર હજી અસ્તિત્ત્વમાં આવ્યું નથી, એટલે હાલમાં વાઇસરાય ધારાસભાને જવાબદાર ન હાય તેવી કારાબારી સભાની સંમતિથી વહીવટ ચલાવે છે. સમવાયતંત્રમાં એ કારોબારી સભા ધારાસભાને જવાબદાર બનશે; પણ ૮૦ ટકા જેટલા ખર્ચમાં ધારાસભા માથું મારી શકશે નહિ; ફક્ત ૨૦ ટકા જેટલા ખર્ચમાં ધારાસભાને અંકુશ રહેશે. ગવર્નરાને હવે તેમની ખાસ જવાબદારીના વિષયે સિવાય ગવર્નરજનરલને જવાબદાર રહેવાનું નથી. આ કાયદાથી ગવર્નરાતે એટલી બધી સત્તા આપવામાં આવી છે, કે પ્રાંતિક સ્વરાજ્ય’ અને નવા ‘સમવાય તંત્ર'થી હિંદી પ્રજાને સંતાષ થયા નથી. ઇંગ્લેન્ડની જામીનગીરીથી ચાલતા રાજ્યવહીવટવાળા પ્રદેશ ( Mandatory States ) મહાન્ વિગ્રહ પછી પ્રજાસંધે મેસેાપાટેમિ, પેલેસ્ટાઈન, જર્મન ઈસ્ટ આફ્રિકા અને વેસ્ટ આફ્રિકા-વગેરે પ્રદેશે ઈંગ્લેન્ડના વર્ચસ્વ નીચે મૂકયા છે. તેમના વહીવટને માટે બ્રિટન પ્રજાસંધને જવાબદાર છે.

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530