________________
નાયક બન્યો, અને તેણે અફઘાનિસ્તાનના અમીરની પદવી ધારણ કરનાર પરંતુ રાજ્ય ચલાવવામાં એકલું બળ કામ લાગતું નથી, એ નિયમને અનુસરીને નાદિરખાનની સરદારી નીચે લેકે એકત્ર થયા, અને બચા–ઈ–સામુ તપને ગળે ઉડાવવામાં આવ્યો. અને બધી જાતિઓની સંમતિથી નાદિરખાને અફઘાનિસ્તાનના અમીરની પદવી લીધી. પરંતુ ત્યાર પછી અફઘાન રાજ્ય તંત્રમાં સ્થિરતા દેખાતી નથી, અને અણકયા પ્રસંગો ઉભા થયે જાયે છે.
શાંતિ અને પ્રગતિના કાળમાં પ્રજાની આકાંક્ષાઓ જાગૃત થઈ, એટલે તે વ્યક્ત કરવા માટે ઈ. સ. ૧૮૮૫માં “રાષ્ટ્રીય મહાસભા” (Indian National Congress)ની સ્થાપના થઈ. તેના પ્રયત્નોથી ઈ. સ. ૧૯૦૯માં વાઈસરોય લોર્ડ મિન્ટોના અમલમાં હિંદી પ્રધાન લેંર્ડ મલએ કાઉન્સિલમાં સુધારા કર્યા. ઈ. સ. ૧૯૧૨માં સમ્રાટ પંચમ જે દિલ્હીમાં ભવ્ય દરબાર ભરી તેને હિંદનું પાટનગર જાહેર કર્યું. યુરોપના ભયંકર મહાવિગ્રહમાં હિદે બજાવેલી અણમૂલ સેવાથી કૃતજ્ઞતાભાવે પ્રેરાઈ ઇ. સ. ૧૯૧૭માં પ્રધાનમંડળે હિંદમાં કમે ક્રમે જવાબદાર રાજ્યપદ્ધતિ સ્થાપવાનું જાહેર કર્યું, અને હિંદ વિષે પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા હિંદી પ્રધાન મિ. મૈયું હિંદમાં આવ્યો. તેણે અને વાઈસરોય લે 212245 21074049281176 4412111 orall (Montague-Chelmsford Reforms) ઘડી કાઢી, અને ઇ. સ. ૧૯૧૯માં પાર્લમેન્ટે તે મંજુર કરી.
ઈ. સ. ૧૯૧૯માં પાર્લમેન્ટ મંજુર કરેલા મોન્ટેગ્યુ-ચેમ્સફડ સુધારા પ્રમાણે હિંદનું રાજ્યતંત્ર ઇ. સ. ૧૯૩૬ સુધી ચાલ્યું. આ યોજનામાં નવા સુધારાને દસ વર્ષ થાય ત્યારે હિંદને જવાબદાર રાજ્યતંત્ર સોંપવાનો વિચાર ચલાવવા માટે કમિશન મેકલવાનું જાહેર કર્યું હતું. તે પ્રમાણે ઈ. સ. ૧૯૨૮ માં સર જોન સાઈમનના પ્રમુખપણા નીચે સાત સભ્યોનું મંડળ હિંદુસ્તાનમાં આવ્યું. તે મંડળના સભ્યોએ મુખ્ય શહેરમાં ફરી શા શા સુધારા કરવા, તે વિષે અભિપ્રાયો એકઠા કર્યા. સ્વતંત્રવાદીઓ આ મંડળની વિરુદ્ધ હતા, છતાં મંડળ પિતાનું કાર્ય બજાવી ઈલેન્ડ પાછું ફર્યું, અને તેણે ઇ. સ. ૧૯૩૦ માં પોતાનો રિપોર્ટ બહાર પાડે. તેના ઉપર પાર્લમેન્ટ વિચાર કર્યો. તે રિપોર્ટ ઉપર વિચાર ચલાવવા ત્રણ વાર “રાઉન્ડટેબલ કોન્ફરન્સ” ભરાયાં. એની પહેલી બેઠકમાં મહાસભાએ ભાગ લીધો નહોતો, પણ બીજી બેઠક્નાં મહાસભા