Book Title: Englandno Itihas
Author(s): Mahashankar Popatbhai Acharya
Publisher: Gujarat Oriental Book Depo

View full book text
Previous | Next

Page 472
________________ ૪૫૯ (૪) રાજા અને પરદેશને સંબંધઃ પરદેશ સાથે સંધિ–વિગ્રહ કરવાને હક પણ રાજાને છે. રાજાને આ હક પણ બીજા હકની માફક મર્યાદિત છે; કારણ કે તેને માટે પ્રધાને આમની સભાને તથા પ્રજાને જવાબદાર હેવાથી જવાબદાર પ્રધાનની સંમતિ વગર રાજા એ બાબતમાં પિતાની મરજી અનુસાર વતી શકતો નથી. રાજા અને તેના પ્રધાનમંડળે કરેલી સંધિ અને કરારે પાર્લમેન્ટની મંજુરી વિના પણ કાયદેસર ગણાય છે. પ્રધાનમંડળની પરદેશનીતિ આમની સભાને પસંદ ન પડે, તે તેની સામે ઠપકાની દરખાસ્ત લાવી શકે છે; પણ પ્રધાનમંડળે કરેલા કેલકરારે ફેરવી શકાતા નથી. | () રાજાના બીજા ખાસ હકે ઉપર જણાવેલા રાજાના ખાસ હકે ઉપરાંત નાણાં પાડવાને, મહત્ત્વની કંપનિઓને સનદ અગર પટ્ટો આપવાને, અને નૌકાસૈન્ય, સ્થળસૈન્ય અને હવાઈસૈન્યના અધિકારીઓની નિમણુક કરવાને હક રાજાને છે. તે ધારે તે લશ્કરને ગમે ત્યારે વિખેરી અમલદારને રજા આપી શકે છે. રાજાની આ સત્તા પણ મર્યાદિત છે; કેમકે રાજા જે આ હકનો ઉપયોગ કરે, તે રાજ્યતંત્ર અટકી પડે; પણ આ હકનો તે કદી ઉપયોગ કરતા નથી. રાજાને પ્રધાનમંડળને ચેતવણી આપવાને, ઉત્તેજન આપવાને અને સલાહ આપવાનો ખાસ હક છે; છતાં તેનો માટે આધાર રાજાના વ્યક્તિત્વ પર રહે છે. મહારાણી વિકટેરિઆએ તાજના આ હકનો બહુ છૂટથી ઉપયોગ કર્યો હતો. તેણે આ હકની અવગણના કરવા માટે પામર્સ્ટનને રાજીનામું આપવાની ફરજ પાડી હતી; અને ઈ. સ. ૧૮૫૮માં લોર્ડ ડબને પોતાના ખાસ હકનું સંસ્મરણ કરાવ્યું હતું. આમ સિદ્ધાંતની દૃષ્ટિએ જોઈએ. તે બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાને અપૂર્વ હક છે; પરંતુ આ હકે અમલમાં મૂકી શકાતા નથી. આથી જ એમ કહેવાય છે કે બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાનું સ્થાન રાજા તરીકેનું છે, પણ શાસનકર્તા તરીકેનું નથી. (The King reigns, but does not rule.)

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530