________________
(૬) ઈલ્કાબ અને માનચાંદ આપવાને રાજાને હકઃ બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાને માન અને પદવીના ઉદ્દભવ સ્થાન તરીકે ગણવામાં આવે છે, એટલે રાજાને રાજ્યના સર્વ મહાન અધિકારીઓની નિમણુક કરવાને, તેમજ તેમને બરતરફ કરવાને હક છે. સામ્રાજ્યનાં જુદાં જુદાં સંસ્થાનના ગવર્નરે અને ગવર્નર જનરલની નીમણુક પણ રાજા કરે છે. એ ઉપરાંત રાજા ઈલ્કાબ આપી શકે છે. નવા અમીરે બનાવવાને રાજાને હક આજ પણ તાજેજ છે. રાજા પોતાના હકથી ગમે તેટલા નવા અમીરે બનાવી તેમને અમીની સભામાં બેસવાની સત્તા આપી શકે છે. વિકટોરિઆ રાણએ લગભગ ૩૦૦ નવા અમીરે બનાવ્યા હતા. પંચમ જ્યોર્જ એ હકને ઉપયોગ કરશે, એમ ધારી ઈ. સ. ૧૯૧૧ને પાર્લમેન્ટને કાયદે અમીરની સભાએ પસાર કર્યો હતો. આ ઉપરથી સમજી શકાય છે, કે રાજાની આ સત્તાથી અમીરેની સભા ઉપર રાજાને અંકુશ રહે છે.
(૩) રાજાઃ સમાજના નેતા અને ધર્મને વડાઃ ઈગ્લેન્ડને રાજા એ સમાજના નેતા ગણાય છે, અને દેશની તેમજ પરદેશની સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ રાજાની મારફત ચાલે છે. જેમ રોમન કેથલિક લોકો પિપને પિતાના ધર્મને વડે માને છે, અને મેટા ધર્માધિકારીઓની નિમણુક કરવાને હક પણ પિપને જ ગણાય છે; તેમ ઈગ્લેન્ડને રાજા અંગ્રેજ ધર્મસમાજનો વડો ગણાય છે, અને ધર્માધ્યક્ષ અને વડા ધર્માધ્યક્ષની નીમણુક રાજા પોતે કરે છે.
() રાજા અને ન્યાયવહીવટઃ જેમ રાજા સન્માનનું મૂળ (Fountain of Honour) ગણાય છે, અને પરદેશમાં બ્રિટિશ પ્રજાના પ્રતિનિધિરૂપે સન્માન મેળવે છે; તેમ તે ન્યાયનું ઉદ્દભવસ્થાન (Fountain of Justice) લેખાય છે. સામ્રાજ્યના બધા મોટા ન્યાયાધીશેની નીમણુક રાજા કરે છે; પણ તેમને કાઢી મૂકવાની રાજાને સત્તા નથી.
કઈ પણ ગુનેગારને ક્ષમા આપવાને હક રાજા ધરાવે છે. જો કે એ સંબંધમાં રાજાની સત્તા મર્યાદિત છે; કારણ કે આમની સભાએ અમીરની સભા સમક્ષ જેના ઉપર મુકર્દમે ચલાવી દેષિત ઠરાવ્યું હોય, તેને રાજા સમા બક્ષી શકતો નથી.