________________
૪૩
સ્થળે પેટ્રેલિઅમ પણ છે. વધારામાં ઉત્તર ચીનમાં થઈને હઆન્ગહેની વહે છે. તેની આજુબાજુનો પ્રદેશ રૂને માટે ઘણે ઉત્તમ છે. વળી આ પ્રદેશની આબોહવા પણ જાપાનીઝ લેકેને રહેવા માટે જોઈએ તેવી છે.
આ રાજકીય અને ભૌગોલિક કારણથી મુત્સદ્દી જાપાને ચીનને ઉત્તર વિભાગ પિતાને કબજે કરવાને નિશ્ચય કર્યો છે. મન્યુકુઓ પિતાને હસ્તક છે ઉત્તરના પાંચ પ્રાંત આર્થિક દૃષ્ટિએ ઉપયોગી છે, અને દક્ષિણ મેંગોલિઆ (Inner Mongolia)રશિઆના વધતા ક્તા જેને અટકાવવા માટે જરૂરી છે.
વળી ઉત્તર ચીનને માર્ગ લેવાનાં બીજ પણ કારણ છે. ચીનને ઘણે ભાગ પહાડી છે. ચીનના અંદરના ભાગમાં જવા માટે ત્રણ જળમાર્ગો ત્રણ નદીઓ છે. તેમાં છેક દક્ષિણે આવેલી સીકીઆન્ગ નદીના મુખ પર બ્રિટિશ સત્તા હેઠળનું હેન્ગકૉન્ગ છે, એટલે ત્યાંથી બ્રિટન અટકાવે. મધ્યમાં આવેલી યાન્સસેક્યાંગ નદીના મુખ પર શાન્તાઈ શહેર છે, જે આંતરરાષ્ટ્રીય શહેરી છે. એટલે ત્યાંથી. બીજી બધી સત્તાઓ અટકાવે તેમ છે. એથી ઉત્તરમાં સીકીઆન્ગ નદીને માર્ગ રહ્યો. વળી જમીનમાર્ગ પણ ઉત્તરમાંજ છે.
આથી જાપાને લડાઈની શરૂઆત ઉત્તરમાંથી કરી. હાલ જાપાને લગભગ આખુંએ ઉત્તર ચીન કબજે કર્યું છે, પણ હવે જાપાન આગળ વધી શકતું નથી; કારણ કે જે જે વિભાગે જાપાન જીતે છે ત્યાં પણ સ્થાયી લશ્કર રાખવું પડે છે, અને જાપાન પાસે એટલું બધું લશ્કર નથી કે બધે પહોંચી વળે. વળી આ વખતના યુદ્ધમાં આખુંએ ચીન જાગૃત થઈ ગયું છે. ચીનનું સૈન્ય પણ વિશાળ છે. જ્યારે ચીનનું બધું સૈન્ય ઉત્તરમાં જમા થઈ ગયું, ત્યારે તે સૈન્યને ત્યાંથી ખસેડવા જાપાને ચીનના હૃદય સમા શાન્તાઈ શહેર આગળ લડાઈની આગ સળગાવી, અને તેના છાંટા છેક કેન્ટન સુધી પણ ઉક
જો કે કોઈ કોઈ વાર છમકલાં થાક છે, પણ સામાન્ય દૃષ્ટિએ હાલની પરિસ્થિતિ શાંત છે. હવે જાપાન આગળ વધી શકતું નથી; કારણ કે જ્યાં જાપાનીઝ સૈન્ય એક પ્રદેશ છોડી બીજે જાય છે, ત્યાં પહેલા પ્રદેશ ચક પિતાના કબજામાં પાછો લેવા પ્રયત્ન કરે છે. આથી હાલ તો માત્ર છતારા પ્રદેરોની વ્યવસ્થા કરવામાં જાપાન રોકાયેલું છે.