Book Title: Englandno Itihas
Author(s): Mahashankar Popatbhai Acharya
Publisher: Gujarat Oriental Book Depo

View full book text
Previous | Next

Page 463
________________ ૪૫૦ પરદેશમંત્રી આસ્ટિન ચેમ્બરલેઈને “ લેાકર્માં સંધિ ”માં સહી કરી, આલ્બેનિઆ અને એબિસિનિ જીતવામાં ઈટલી તરફ સહાનુભૂતિ બતાવી, અને “ કલાગ પૅકટ ”માં સહી કરી. * ફરીથી તે ઇ. સ. ૧૯૩૫માં વડા પ્રધાન થયા. આ વખતની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ ને વધુ બારીક બનતી જતી હાવાથી તેના જેવા બુઝર્ગ મુત્સદ્દી ઉપર પ્રજાની નજર પડી. આ વખતના પ્રધાનમંડળ દરમિઆન પંચમ જ્યાનું અવસાન થયું, ઇ. સ. ૧૯૩૬. આથી એડવર્ડ આઠમાને ગાદી મળી; પણ એ અરસામાં એડવર્ડના લગ્નના વિકટ પ્રશ્નને તેડ તેણે એવી કુનેહ અને શાંતિથી આણ્યા, કે એડ પાતેજ ગાદીના ત્યાગ કર્યો, અને જ્યાર્જ છઠ્ઠાને ગાદી મળી. ત્યારપછી તેણે રાજીનામું આપ્યું, અને નેવિલ ચેમ્બરલેઈન વડા પ્રધાન થયા, ઇ. સ. ૧૯૩૬. CHANCELLOR, THE EXCHEQUER MR.NEVILLE CHAMBERLAIN બાલ્ડવિન એક બાહેાશ અર્થશાસ્ત્રી, વ્યવહારકુશળ અને ઠરેલ ધંધાદારી, અને સારા વક્તા છે. શ્રોતાઓને ખૂશ કરવાની તેનામાં કળા છે. જો કે હાલમાં તેના ઉપર રાજકીય ટીકાઓ થઈ છે; પણ એટલું તે ખરૂંજ કે સમકાલીન યુર।પીઅન પ્રજાપક્ષીઓમાં તેનું સ્થાન ચોક્કસ અને શ્રેષ્ઠ છે. સંજોગા ઉપર ચારિત્ર્ય શી અસર કરી શકે છે, તેનું ઉત્તમ દૃષ્ટાંત તે પૂરું પાડે છે. પંદર વર્ષ પૂર્વે અજાણુ ગણાતી વ્યક્તિ આજે ગ્લેડસ્ટાનિઅન જાહેાજલાલી માણે છે; કારણ કે પ્રજાને તેનામાં વિશ્વાસ છે. આજે તે ૬૮ વર્ષના છે, છતાં તે સદા શાંત અને ઠરેલ જણાય છે. જે વચન તે ન પાળી શકે, તેવું વચન તે આપતા નથી. જ્યારે તેના ખેાલવાની ખાસ જરૂર હાય, ત્યારેજ તે ખેલવા ઉભા થાય છે. તેની સચાટ દલીલા, અને હૃદયના તેના ઉગારા અંગ્રેજ પ્રજામાં કંઈક નવીન ચેતન રેડે છે, અને નવા પ્રાણ પૂરે છે.

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530