________________
૪૫૦
પરદેશમંત્રી આસ્ટિન ચેમ્બરલેઈને “ લેાકર્માં સંધિ ”માં સહી કરી, આલ્બેનિઆ અને એબિસિનિ જીતવામાં ઈટલી તરફ સહાનુભૂતિ બતાવી, અને “ કલાગ પૅકટ ”માં સહી કરી.
*
ફરીથી તે ઇ. સ. ૧૯૩૫માં વડા પ્રધાન થયા. આ વખતની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ ને વધુ બારીક બનતી જતી હાવાથી તેના જેવા બુઝર્ગ મુત્સદ્દી ઉપર પ્રજાની નજર પડી. આ વખતના પ્રધાનમંડળ દરમિઆન પંચમ જ્યાનું અવસાન થયું, ઇ. સ. ૧૯૩૬. આથી એડવર્ડ આઠમાને ગાદી મળી; પણ એ અરસામાં એડવર્ડના લગ્નના વિકટ પ્રશ્નને તેડ તેણે એવી કુનેહ અને શાંતિથી આણ્યા, કે એડ પાતેજ ગાદીના ત્યાગ કર્યો, અને જ્યાર્જ છઠ્ઠાને ગાદી મળી. ત્યારપછી તેણે રાજીનામું આપ્યું, અને નેવિલ ચેમ્બરલેઈન વડા પ્રધાન થયા, ઇ. સ. ૧૯૩૬.
CHANCELLOR, THE EXCHEQUER MR.NEVILLE CHAMBERLAIN
બાલ્ડવિન એક બાહેાશ અર્થશાસ્ત્રી, વ્યવહારકુશળ અને ઠરેલ ધંધાદારી, અને સારા વક્તા છે. શ્રોતાઓને ખૂશ કરવાની તેનામાં કળા છે. જો કે હાલમાં તેના ઉપર રાજકીય ટીકાઓ થઈ છે; પણ એટલું તે ખરૂંજ કે સમકાલીન યુર।પીઅન પ્રજાપક્ષીઓમાં તેનું સ્થાન ચોક્કસ અને શ્રેષ્ઠ છે. સંજોગા ઉપર ચારિત્ર્ય શી અસર કરી શકે છે, તેનું ઉત્તમ દૃષ્ટાંત તે પૂરું પાડે છે. પંદર વર્ષ પૂર્વે અજાણુ ગણાતી વ્યક્તિ આજે ગ્લેડસ્ટાનિઅન જાહેાજલાલી માણે છે; કારણ કે પ્રજાને તેનામાં વિશ્વાસ છે. આજે તે ૬૮ વર્ષના છે, છતાં તે સદા શાંત અને ઠરેલ જણાય છે. જે વચન તે ન પાળી શકે, તેવું વચન તે આપતા નથી. જ્યારે તેના ખેાલવાની ખાસ જરૂર હાય, ત્યારેજ તે ખેલવા ઉભા થાય છે. તેની સચાટ દલીલા, અને હૃદયના તેના ઉગારા અંગ્રેજ પ્રજામાં કંઈક નવીન ચેતન રેડે છે, અને નવા પ્રાણ પૂરે છે.