________________
४४८
તેના અનુયાયીઓ આથી શાંત પડ્યા નહિ. તેમણે એક રાષ્ટ્રસંઘ સ્થા, અને “સ્વરાજ્ય' એ તેમનું ધ્યેય બન્યું. જે જમીનદારોએ તેમની નીતિ પ્રમાણે વર્તવાની ના પાડી, તેમના તરફ સામાજિક બહિષ્કારનું શસ્ત્ર અજમાવવામાં આવ્યું. વખત જતાં આ ચળવળે ભયંકર સ્વરૂપ પકડયું, અને ઠેરઠેર તેફાને પણ થયાં. આથી પાર્નેલ અને બીજા આગેવાનોને પકડવામાં આવ્યા; પરંતુ તેઓ છૂટી ગયા. ત્યારપછી તેણે પાલમેન્ટમાં દાખલ થઈ પિતાને પક્ષ સંગદિત બનાવ્યો. આ વખતે પાર્લમેન્ટના બંને આગેવાન પક્ષોનું સંખ્યાબળ લગભગ એકસરખું હતું. આથી પાર્નેલ અને તેના સભ્યો જેને મત આપે તે પક્ષ સત્તામાં આવે એવી પરિસ્થિતિ બની. પહેલાં તો તેમણે કન્ઝર્વેટિવ પક્ષને ટેકો આપે, પણ તેઓ “હેમરૂલ આપી શક્યા નહિ; એટલે બીજી વખત ગ્લૅડસ્ટનને ટેકો આપે. આથી ગ્લૅડસ્ટન ત્રીજી વાર વડા પ્રધાન બન્યો. ગ્લૅડસ્ટને આ વખતે “આયરિશ હોમરૂલ બિલ રજુ કર્યું, પણ તે પસાર થયું નહિ. સ્વરાજ્યનું સ્વપ્ન ઉડી જતાં પાર્નલ નિરાશાથી ભગ્ન હૃદયે મરણ પામે, ઈ. સ. ૧૮૯૧. જો કે પાર્નેલ પિતાના પ્રયત્નોનું શુભ ફળ જોઈ શકશે નહિ, પણ તેના પ્રયત્નો નિષ્ફળ ગયા એમ કેવી રીતે કહેવાય ? કારણ કે તેણે વાવેલાં સ્વતંત્રતાનાં બી ભવિષ્યમાં ફળદાયી નીવડયાં. એથી આયર્લેન્ડના સ્વાતંત્ર્યના ઈતિહાસમાં પાર્વેલનું નામ અમર છે.
રાસે મૅકડોનાલ્ડઃ મેકડોનાલ્ડ વીસમી સદીમાં ઇંગ્લેન્ડમાં પ્રતિભાશાળી પુરુષ થઈ ગયે. તે બુદ્ધિશાળી, કલ્પનાશાળી, વ્યવહારકુશળ, લેખક, વક્તા, અને મુસાફરીને શોખીન હતું. તેનું જ્ઞાન સર્વદેશીય હતું; વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, અને તત્ત્વજ્ઞાનના વિષયને તે જાણકાર હતો. તેનું મિત્રમંડળ બહાળું હતું. પોતાની બહેશથી તે પાર્લમેન્ટમાં આગળ આવ્યો, અને મજુરપક્ષ નેતા બન્યા. ઈ. સ. ૧૯૨૪માં પાર્લમેન્ટની વરણીમાં લિબરલ પક્ષે મજુર પક્ષને ટેકો આપે, તેથી પહેલી જ વાર મજુરપક્ષ અધિકારમાં આવ્યો, અને રાસે મૅકડોનાલ્ડ વડે પ્રધાન થયા.
નમ: