________________
૪૪૫
તે બેલ્યો હતો કે “આજે તો તમે મને સાંભળતા નથી, પણ એ વખત આવશે કે તમારે મને સાંભળવો પડશે.” ઈ. સ. ૧૮૪૯માં તે કેન્ઝર્વેટિવ પક્ષને આગેવાન બન્યો. ઇ. સ. ૧૮૫રમાં, ઈ. સ. ૧૮૫૮માં અને ઈ. સ. ૧૮૬૭માં–એમ ત્રણ વાર તે ખજાનચી થયું. તેણે ઈ. સ. ૧૮૬૭માં પાર્લમેન્ટની સુધારણાને ખરડો પસાર કરી ટેરી પક્ષના સિદ્ધાંતમાં નવી ભાત પાડી. તે ઈ. સ. ૧૮૭૪થી ૧૮૮૦ સુધી વડો પ્રધાન રહ્યો. એ દરમિઆન તેણે ઘણું સુધારા કર્યા. તે ઈ. સ. ૧૮૮૦માં બીકન્સફિલ્ડને અર્લ બન્યો. બીજે જ વર્ષે તે મરણ પામે, ઈ. સ. ૧૮૮૧.
સામ્રાજ્યવાદી ડિઝરાયેલી: પરરાજ્યનીતિમાં તે પામર્સ્ટનનો શિષ્ય. હતો. તેની દેશાંતરનીતિ ઘણી તેજસ્વી નીવડી હતી. તેણે રશિઆની વધતી જતી સત્તા અટવાવવા હિંદમાંથી લશ્કર બેલાવી માલ્ટામાં રાખ્યું, અને લડાઈની બધી તૈયારી કરી હતી. એથી રશિઆ ડરી ગયું, અને બર્લિનમાં પરિષદ્દ મળી. ડિઝરાયેલીએ આ પરિષદ્દમાં આગળ પડતો ભાગ લઈ બર્લિનની સંધિ કરી, અને ટકના સામ્રાજ્યની હદ મુકરર કરી. આ “માનભરી સુલેહ પછી તે ઈલેન્ડ પાછો ફર્યો. બ્રિટનના હિતની ખાતર ઈગ્લેન્ડે પર રાજ્યમાં પણું માથું મારવું જોઈએ, એમ તે માનતા. વળી તેણે સુએઝની નહેરના ૪૦ લાખ પૌડની કિંમતના શેર ખરીદી લઈ દુનિયાને મહાન જળમાર્ગ હસ્તગત કર્યો. આમ પરરાજ્યનીતિમાં ડિઝરાયેલીએ ઈગ્લેન્ડની કીર્તિ વધારી. જ સુધારક ડિઝરાયેલી: જો કે તે કોન્ઝર્વેટિવ હતો, પણ સુધારામાં માનતા હોવાથી તેણે જરૂરના સુધારા કરવામાં પાછી પાની કરી નથી. તેણે . સ. ૧૮૬૭માં પાર્લમેન્ટની સુધારણાને ખરડો પસાર કરી કારીગર વગેરેને મતાધિકાર આપે. ઈ. સ. ૧૮૭૫માં તેણે શહેરેની સુધરાઈ માટે. એક કાયદો પસાર કરી મજુરોને માટે સારાં, હવાઉજાસવાળાં ઘરે બાંધવાની યોજના કરી. ઇ. સ. ૧૮૭૬માં મજૂરવર્ગનાં મંડળો સંબંધી કાયદે પસાર કરી તે મંડળો કાયદેસર ગણવાનું તેણે નક્કી કર્યું. આથી મજુરોની સ્થિતિ સુધરી. ઈ. સ. ૧૮૭૭માં ઈંગ્લેન્ડની રાણી વિકટોરિઆને હિંદુસ્તાનનાં “સમ્રાણી–પદ આપવાને ખરડો તેણે પસાર કર્યો. ઈ. સ. ૧૮૭૮માં કારખાનાને લગતે ખરડો પસાર કરી તેણે દસ વર્ષથી ઓછી વયનાં