________________
૪૪
સહકાર જોઈએ તેવા ન હતા, અને તેમની સામાન્ય પ્રજા ઉદાસીન રહી હતી, એટલે સરકારનું કાર્ય સરળ થઈ પડયું. અલ્સ્ટરના લેાકાને નિઃશસ્ત્ર કરી ત્યાં લશ્કરી કાયદેા જાહેર કરવામાં આવ્યા. છેવટે અંખારાના મુખી એડવર્ડ ફિટઝરાલ્ડને પકડવામાં આવ્યું. ન્યૂ રાસ અને વિનેગાર હિલનાં યુદ્ધોમાં બંડખારાને યેાગ્ય દંડ દેવામાં આવ્યા. ઘેાડા સમયમાં શાંતિ પ્રસરી.૧ પિટ્ટને લાગ્યું કે આયર્લેન્ડ જોડે સ્નેહભાવ કેળવવા માટે તેમજ કૅથેાલિકા અને પ્રોટેસ્ટન્ટા વચ્ચેના દ્વેષને નાશ કરવા માટે ગ્રેટબ્રિટન અને આયર્લેન્ડ એક થઈ જવાં જોઈએ. બંનેમાંથી કાઈ ધર્મવાળાને આ વાત રુચતી ન હતી, પણ મંત્રીએ પ્રોટેસ્ટન્ટ સભ્યાને ઉમરાવપદ અને ભેટાની લાલચ આપીને તથા કથાલિકાને ધાર્મિક નિમંત્રણ દૂર કરવાનું વચન આપીને પેાતાના પક્ષમાં મેળવી લીધા. દરમિઆન ઈ. સ. ૧૮૦૦માં બંને દેશાને જોડી દેવાના કાયદે થયેા. એ કાયદાથી આયર્લૅન્ડને ૪ ધર્માધિકારી અને ૨૮ અમીરે મળી ૩૨ સભ્યાને અમીર સભામાં, અને ૧૦૦ સભ્યા આમની સભામાં મેકલવાના હક મળ્યા. વળી બંને દેશેા વચ્ચે નિરંકુશ વેપાર કરવાની છૂટ મૂકવામાં આવી. ઓગણીસમું સકું: હજીએ કેથેલિકો પરનાં બંધને રદ કરવાના અને જમીનના વિકટ પ્રશ્નોના નિર્ણયો બાકી રહ્યા. ૧૯મા સૈકામાં બ્રિટિશ .પાર્લમેન્ટ સમક્ષ આયરિશ પ્રશ્ન વારંવાર આવવા લાગ્યા. ઇ. સ. ૧૮૨૯, ૧૮૩૪, ૧૮૪૬, અને ૧૮૮૬માં પ્રધાનમંડળેા બદલાયાં, તે સર્વ આયર્લૅન્ડના પ્રશ્ન પર મતભેદ થવાને લીધે હતું.
ડેનિયલ આકાનેલઃ વાટલુંના યુદ્ધમાં નેપેલિયનને પરાજ્ય થયા પછી ૩૦ વર્ષ સુધી આયર્લૅન્ડના રાજકારણમાં ડેનિયલ એકેાનેલ નામે સુપ્રસિદ્ધ કથાલિક ધારાશાસ્ત્રી અગ્રેસર હતા. પેાતાના વકતૃત્વ, વક્રોક્તિ અને
૧. ખંડખારા હાર્યા, છતાં તેમની દેશપ્રેમની ભાવના ઉત્કટ હતી, એ નિ:સંશય છે. તે ભાવનાની કદર કરતાં એક કવિ લખે છે કે—
They rose in dark and evil days, To right their native land: They kindled here a living blaze, That nothing shall withstand. :Alas! that might can conquer right, They fell and passed away; But true men, like you men, Are plenty here to-day,
] .
J. K. Ingram