________________
૪૧૫
"વિને દંમય છટાથી જનસમાજ પર તે ઉડી અસર કરતો. તેણે પાર્લમેન્ટમી સભ્ય થવાની કેથલિકાની કાયદેસર અપાત્રતા દૂર કરાવવા માટે “રામન કેથલિક એસિએશન” ની સ્થાપના કરી, ઈ. સ. ૧૮૨૩. સંખ્યાબંધ આયરિશે તેમાં જોડાયા, અને તેને ટકાવી રાખવા માટે નિયમિત નાણાં આપવા લાગ્યા. ઠામઠામ તેની શાખાઓ કાઢી તેમણે સમગ્ર દેશને ખળભળાવી મૂકો. ‘ઓકોનેલે ગામેગામ સભાઓ ભરી ભાષણોદ્ધારા લેકેને સમજાવવા માંડયું, કે કેથેલિકોને મુક્તિ આપવાનો મત ધરાવતા હોય તેવા સભ્યોને આપણે મત આપવો. પછી તે પોતે કેથલિક હોવા છતાં કલેર પરગણું તરફથી ઉમેદવાર તરીકે બહાર પડે, અને જ્યાં જ્યાં સભ્યની જગા ખાલી પડે, ત્યાં પોતે ઉમેદવાર થવાની ઈચ્છા દર્શાવવા લાગ્યા. લેકેએ પણ તેની વરણી કરી. આયર્લેન્ડમાં કેથેલિકોના લાભમાં ભયંકર ચળવળ ચાલી અને કોઈ પણ વખતે પ્રજા તોફાન કરી બેસશે, એવો સરકારને ભય લાગે. આથી વેલિંગ્ટનના ટોરી પ્રધાનમંડળે પ્રજામતને નમતું આપી ઈ. સ. ૧૮૨૯માં કેથેલિકોની મુક્તિનો કાયદો પસાર કર્યો. કેથેલિકોને પાલમેન્ટના સભ્ય થવામાં હવે બાધ 'રહ્યો નહિ. પછી ઓકેનેલે પ્રોટેસ્ટન્ટ ધર્માલયો વિરુદ્ધ ચળવળ ઉપાડી. 'કેથેલિક પ્રજાની બહુમતીવાળા દેશમાં અન્ય પંથનું ધર્માલય શા માટે નિભાવવું જોઈએ? લોકો તે બદલ કર શા માટે આપે ? આવા આવા પ્રશ્નો ઉપર તેણે જોરદાર વ્યાખ્યાનો આપવા માંડયાં. કઈ કઈ સ્થળે કર ભરનાર અને વસુલ કરનારનાં ખૂન થયાં. હિગ પ્રધાનમંડળે આવાં તોફાનો શમાવવા માટે કરેલા કાયદાથી લડતને વેગ મળ્યો. પરંતુ ઈ. સ. ૧૮૫૩માં લૈર્ડ મેબોર્ન પ્રધાનપદે આવતાં તેણે ઓકેનેલ જોડે વિષ્ટિ ચલાવી ગ્ય નિર્ણય આણવાનું વચન આપ્યું, એટલે ચળવળ નરમ પડી. કરમાં સુધારે થયે, ઈલેન્ડની પેઠે ગરીબીનો કાયદો પસાર કરવામાં આવ્યો, અને ગરીબો પરનો ભાર જમીનદારે પર પડ્યું. ઈ. સ. ૧૮૪૧માં પીલ પ્રધાનપદે આવતાં ઈ. સ. ૧૮૦૦માં આયલેન્ડનો ઈગ્લેન્ડ જોડે થએલો સાગ રદ કરાવવાની ચળવળ એકેનેલને નેતૃપદે ઉપડી. આયરિશને સ્વતંત્ર પાર્લમેન્ટ સ્થાપી પિતાના અધિકારીઓ તેને જવાબદાર રહે એવું કરવું હતું. એકનેલે સ્વરાજ્ય માટે સ્થળે સ્થળે ફરી વ્યાખ્યાનો કરવા માંડયાં. એથી દેશપ્રેમની ભરતી ચકી,