________________
હેય, સુધારા કે મરામત કરવાં હોય, તે પતીકાં નાણાં વાપરવાં પડતાં; જમીનદાર ઉપજનો ભાગ લઈને છુટ થઈ જતો. વધારે ઉપજ આવે ત્યારે તે વધારે ભાગ માગી શકત, પણ ખર્ચમાં તે ભાગ આપતે નહિ. આ ઉપયંત ગમે ત્યારે ભાડુતને કાઢી મૂકી તેણે કરેલા ખર્ચ બદલ તેને બદલે આપ નહિ હવેથી એવું કહ્યું કે ભાડુતોએ કરેલા ખર્ચ બદલ તેમને યોગ્ય બદલ આપ, અને કારણ વિના તેમને રજા આપવી નહિ. આમ અન્યાય દૂર થયા છતાં આયરિશે રીઝયા નહિ, એટલે વધતા જતા અસંતોષને દાબી દેવા લેડસ્ટનને સખતાઈના કાયદા કરવા પડ્યા. ઝિરાયેલી ના પ્રધાનપદમાં અમેરિકને માતા અને આયરિશ પિતાને પેટે જન્મેલા ચાર્લ્સ પાનેલે આગેવાની લીધી. તે ઈલેન્ડથી આયર્લેન્ડને સ્વતંત્ર કરવાનાં સ્વનાં સેવતો હતો, એટલે તેણે ઇ. સ. ૧૮૦૦નો કાયદે રદ કરાવ્યો. તે આયર્લેન્ડમાં સ્વતંત્ર પાર્લમેન્ટ સ્થાપવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આથી તેણે પાર્લમેન્ટમાં વિરોધનીતિ ધારણ કરીને આયર્લેન્ડ સિવાયના બીજા પ્રકામાં વિદ્ધ નાખવા માંડયાં. જમીનના કાયદામાં સુધારા કરાવવા માટે જમીન-સંઘ” ને પિતે સભ્ય બન્ય, અને સંઘની નીતિ વિરુદ્ધ ચાલનારને સામાજિક અને સજકીય બહિષ્કાર કરવાનો ઉપદેશ કરવા લાગ્યો. દરમિઆન લિબ્રલ પ્રધાનમંડળ અધિકારમાં આવ્યું, એટલે તેણે આયર્લેન્ડના પ્રશ્નને તેડ કાઢવાનો નિશ્ચય કર્યો. પાર્વેલના સંચલનને પરિણામે ઈ. સ. ૧૮૮૧માં જમીનને બીજે કાયદો કરી જમીનદારને ભાડું લેવાનો અધિકાર આઓ તેના દર ઠરાવનારી જુદી અદાલત સ્થાપી, અને ભાડું, નિયમિત મળે ત્યાં સુધી જમીનદાર ભાતને રજા આપી શકે નહિ તેવું બંધન નાખ્યું. પરંતુ,
કેમાં અસંતોષ પ્રસરતે ગયો; કોઈ કોઈ જમીનદારનાં ખૂન થયાં, ઘર અને વખારો બાળવામાં આવ્યાં અને બીજાઓને જુદી જુદી ધમકીઓ આપવામાં આવી. આથી પાર્નેલને કેદ કરવામાં આવ્યું, પણ થોડા દિવસમાં પાછો છોડી દેવામાં આવ્યા. દરમિઆન લોર્ડ ફેડરિક કેવેન્ડી નામે આયલેન્ડના મંત્રીનું ખૂન થયું. હવે ગ્લૅડસ્ટનને પણ આ વિષમય દંગે બેસાડી દેવા માટે કડક કાયદા રચવા પડયા. પરંતુ પરિસ્થિતિ વિકટ થતી ગઈ. એટલે તે દેશમાં શાંતિ સ્થાપવાના સમબાણ ઉપાય તરીકે સ્ટિને તેને
૨૭.