________________
૪૧૦ અને “ઉત્તર” (૬ પરગણાં એવા બે વિભાગ પાડવામાં આવ્યા, અને બન્નેને સ્વતંત્ર પાર્લમેન્ટ આપવામાં આવી. ઈગ્લેન્ડ જોડે સંબંધ ટકી રહેવાથી ખુશી થએલા ઉત્તરવાસીઓની નવી પાર્લામેન્ટ સમ્રાટુ જે સ્વહસ્તે ખુલ્લી મૂકી, ઇ. સ. ૧૯૨૧.
પરંતુ દક્ષિણવાસીઓએ આવા વિભાગ સ્વીકારવાની ના પાડી, અને સમગ્ર દેશ માટે સ્વરાજ્યની માગણી સભર ચાલુ રાખી. દેશમાં અવ્યવસ્થા થઈ રહી, અને રક્તપાત પણ થયું. ઈ. સ. ૧૯૨૧ના જુલાઈ માસમાં સરકારે આ પ્રશ્નને નિર્ણય કરવાનું કાર્ય બંને વિભાગના શિષ્ટ મંડળને સોંપ્યું. ડીસેમ્બર માસમાં કોલકરાર થયો, અને આયર્લેન્ડે બ્રિટનની નાવિક સુરક્ષિતતામાં આડે ન આવવાની, આયરિશ ફી સ્ટેટમાં ભળવું કે નહિ તે અહસ્ટરની ઈચ્છા પર છોડી દેવાની, અને ગ્રેટબ્રિટનને રાજનિક રહેવાની કબુલાત આપી, એટલે ઈ. સ. ૧૯૨૨માં આયરિશ ફી સ્ટેટનો કાયદો પસાર થશે. આ કાયદાથી બ્રિટિશ સામ્રાજ્યમાં સ્વયંસત્તાક સંસ્થાનો જેવો આયર્લેન્ડનો દરજજો ઠરાવવામાં આવ્યું, અને આયર્લેન્ડમાં રાજપ્રતિનિધિ તરીકે કેનેડાની પેઠે ગવર્નર જનરલ નીમવાનું ઠર્યું.
ચાર પાંચ સૈકાથી સ્વાતંત્ર્ય માટે પ્રાણુ સોંઘા કરનાર આ શ્રેરી પ્રજાનો સ્વાતંત્ર્યયજ્ઞ પૂરો થયો. તેના તપની સિદ્ધિ થઈ. તેને સામ્રાજ્યમાં સ્વરાજ્ય મળ્યું. ઈ. સ. ૧૯૩૮ના જાન્યુઆરિની ૧લી તારીખથી ડી વેલેરાએ દેશને આયર' નામ આપી પોતાના દેશની સ્વતંત્રતા જગજાહેર કરી છે.
લેન્ડને લોકસત્તાક રાજ્ય જાહેર કર્યું, અને ડી વેલેરાને અધ્યક્ષ નીમ્યો. નવી સરકારને આ સભાએ કામ ન લેંગ્યું, અને ડી વેલેરાએ સશસ્ત્ર વિષેધ આદર્યો. સેનાપતિ કોલિન્સ અને અપક્ષ ગ્રિફિથના મરણથી બાલરાજ્ય ઉપર સંકટની પરંપરા આવી પડી. પરંતુ નવીન પ્રમુખ કેઍવે સિનફિનરે જોડે લડવાનું ચાલુ રાખ્યું. ઈ. સ. ૧૯૨૩માં તે વેલેરાના પક્ષે શસ્ત્રો મ્યાન કર્યું, એટલે તે પછી રાજ્યવહીવટ સરળ થયો.