________________
કાર નીચે હતું. ઇ. સ. ૧૮૩૩માં મહમદઅલી નામે સરદારે તે દેશને કાજે કરી સુલતાનની પરવા કર્યા વિના સ્વતંત્ર રાજ્ય કરવા માંડયું એટલું જ નહિ, પણ પછી તે ખુદ કોન્સટિનોપલ પર તેણે હુમલો કર્યો. મિસરમાં વગવસીલે મેળવવાની આશાએ ફાસે તેનો પક્ષ લીધે, ત્યારે અન્ય રાજ્યોએ સુલતાનને પક્ષ લીધે. અંતે સમાધાન કરી મહમદઅલીએ સીરિઆ પ્રાંત સુલતાનને પાછો આપી દેવો એવો નિર્ણય થયે, અને મહમદઅલ્લીને મિસરને પાશા સ્વીકારવામાં આવ્યા.
બેદિવ ઈસ્માઈલ : ઈ. સ. ૧૮૬૩માં આ પરાક્રમી સરદારના મરણ પછી તેને પૌત્ર ઈસ્માઈલ તેને સ્થાને આવ્યું. તેણે સુલતાનને મૂલ્યવાન નજરાણું એકલી બેદિવને ઈલ્કાબ મેળવ્યું. તેણે દેશમાં અનેક પ્રકારના સુધારા કરવા માંડયા. એ સર્વ સુધારામાં નાણાંની જરૂર પડતી, પણ એ માછલા રાજા પાસે નાણું ન હતું. તેના એશઆરામ અને ભોગવિલાસમાં પણ અઢળક દ્રવ્યની જરૂર પડતી. તેના જલસાનાં લખલૂટ ખર્ચ પ્રજા પાસેથી વધારે કર નાખીને વસુલ લેવામાં આવતાં. દેશનું કરજ બેસુમાર વધી ગયું તો પણ એ વિલાસી રાજાની ખોટને ખાડો પૂરાયે નહિ, એટલે તેણે સુએઝની નહેરના શેર (Shares) વેચવા કાઢયા. હિંદ જવાના ટુંકા જળમાર્ગની અગત્ય ઈંગ્લેન્ડ કયારનું પિછાણી ચૂક્યું હતું, એટલે પ્રધાન ડિઝરાયેલીએ ૬ કરેડ રૂપીઆમાં શેર ખરીદીને સુએઝની નહેર પર વાસ્તવિક વર્ચસ્વ મેળવી લીધું. દરમિઆન દેશમાં આર્થિક દુર્દશા વધતી હતી, એટલે ઈંગ્લેન્ડ અને ફાજો સુલતાન પર લાગવગ ચલાવી ઈસ્માઈલને પદભ્રષ્ટ કરી તેના પુત્ર તેફિક પાશાને ગાદી અપાવી. દેશની આર્થિક વ્યવસ્થા ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ પિતાને હસ્તક રાખી.
અરબી પાશાનું બંડ : આ પ્રમાણે પરદેશીઓ દેશની આંતર વ્યવસ્થામાં હાથ ઘાલે, એ વાત મિસરીઓને ગમતી ન હતી. એથી અરબી પાશા નામે લશ્કરી અમલદારની આગેવાની નીચે પરદેશીઓને હઠાવવાની ચળવળ શરૂ થઈ, ઈ. સ. ૧૮૮૧. અપંતુષ્ટ સેનિટેની સહાયથી તેણે બં જગાડયું, અને આશરે ૫૦ યુરોપીઅોની કતલ કરાવી. અંગ્રેજ નૌકાસૈન્ય એલેકઝા િઆ પર હલ્લે કરી તેને જમીનદોસ્ત કરી નાખ્યું. પરંતુ અંગ્રેજ