________________
૩૯૩
ગૌરવભર્યું પદ ધારણ કર્યું. હવે યુદ્ધો બંધ થયાં; માત્ર ઉત્તર બ્રહ્મદેશ અને અફઘાનિસ્તાન જોડે યુદ્ધને પ્રસંગ આવ્યો. અમીરે અંગ્રેજ એલચી અનિચ્છાએ સ્વીકાર્યો, પણ થોડા સમયમાં તેનું ખૂન કરવામાં આવ્યું. સર ફેડરિક રોબર્ટસ નામે પ્રસિદ્ધ સેનાપતિ સૈન્ય સહિત કાબુલ જઈ પહોંચ્યો. ત્યાં તેને સમાચાર મળ્યા કે અંગ્રેજો સૈવન્દ પાસે સખત હાર ખાઈ કંદહારમાં આશ્રય લેવા ભરાયા છે. તે તે જંગલી અને નિર્દય લોકોથી વસેલા ૩૦૦ માઈલના ડુંગરાળ પ્રદેશમાં ખડકેવાળા માર્ગ પર દડમજલ કરતો કંદહાર જઈ પહોંચે. અફઘાન હાર્યા, અને દેશ અંગ્રેજોના વર્ચસ્વ નીચે આવ્યો. હવે અફઘાનિસ્તાનનું સ્વતંત્ર રાજ્ય ગ્રેજોનું મિત્ર બન્યું. ઈ. સ. ૧૯૧૯ સુધી તે બ્રિટિશ રાજ્યનું મિત્ર હતું, છતાં અમુક પ્રસંગોને લીધે અફઘાનિસ્તાન સાથે ફરી લડાઈ કરવાનો વખત આવ્યા. તુર્કીએ બ્રિટિશ પક્ષ વિરુદ્ધ મહાન વિગ્રહમાં ભાગ લીધે, તેથી અફઘાનિસ્તાનની પ્રજાનાં મન ઉશ્કેરાયાં હતાં. અમીર અમાનુ લાખાનનો વિચાર પર રાજ્યો સાથે વ્યવહાર ચાલુ કરવાને થયા, અને તેણે પરરાજ્યના મંત્રીઓને દેશમાં બોલાવ્યા. ત્યાર બાદ સ્વતંત્ર થવાની ઇચ્છાથી તેણે અંગ્રેજો સાથે લડાઈ જાહેર કરી, પણ થોડા જ વખતમાં તે બંધ થઈ અને રાવળપિડી મુકામે સલાહ કરવામાં આવી. તે મુજબ હિંદુસ્તાનમાં થઈ અફઘાનિસ્તાનમાં હથિયાર લઈ જવાનું બંધ કરવામાં આવ્યું, અને અમીરની સ્વતંત્રતા કબુલ કરવામાં આવી. | અમીર અમાનુલ્લાખાને રાજ્યની બહુ સારી વ્યવસ્થા કરી. અને અફઘાનિસ્તાનમાં યુરોપી રાજ્યો માફક સુધારા કરવાનો વિચાર કર્યો. યુરોપના પ્રવાસે ઉપડવા તે મુંબઈ આવ્યો. ત્યારે તેને અપૂર્વ માન મળ્યું. આ પ્રવાસનો હેતુ બીજા રાજ્યના રાજ્યતંત્રનો અભ્યાસ કરવાનો હતો, અને તે ઉપરથી અફઘાનિસ્તાનમાં પ્રગતિ કરવાનો હતો. પ્રવાસેથી પાછા ફરીને તેણે પિતાના રાજયમાં સુધારા દાખલ કરવા માંડયા. પરંતુ અફઘાન પ્રજા વર્ષો થયાં જુની રૂઢિમાં ઉછરેલી હોવાથી લોકોને નવીન સુધારા પસંદ પડવા નહિ, તેથી લકે ઉશ્કેરાયા, અને “શીનવારી વગેરે જાતિઓએ બળવા કર્યા. પરિણામે અમાખુલ્લાખાનને ગાદી છોડવાનો વખત આવ્યો એટલું જ નહિ, પણ તેને સ્વદેશ છોડીને ચાલી જવું પડયું. હવે બચા-ઈ-સાકુ નામનો સિપાઈ આપબળથી