________________
૩૧
દારુણ યુદ્ધો પછી અંગ્રેજોનું વર્ચસ્વ સ્વીકાર્યું. જ્યારે તેની નીતિ પ્રત્યે વિશ્વ દર્શાવી તેને પાછા ખેલાવી લેવામાં આવ્યા, ત્યારે દેશમાં અંગ્રેજોની પ્રતિષ્ઠા જામી હતી, દેશી રાજા નમી ગયા હતા, ફ્રેન્ચ કાવતરાં નિર્મૂળ થયાં હતાં, અને સુધારેલી રાજ્યપદ્ધતિના આરંભ થઈ ગયા હતા.
એગણીસમા સૈકાના આરંભમાં રશિઆએ મધ્ય એશિઆમાં હાથપગ પ્રસારવા માંડયાં, એટલે ઉત્તર સીમા પર આવેલા અધાનિસ્તાનને પ્રશ્ન ઉપસ્થિત થયેા. અમીર શાહસુન્ન અને દાવાદાર દાસ્ત મહમદ વચ્ચે ખટપટ જાગી, તેને લાભ લઈ લાડ આકલેન્ડે શાહસુજાનેા પક્ષ ખેંચી અધાનિસ્તાનમાં સૈન્ય માકલ્યું; પણ અજાણ્યા પહાડી પ્રદેશમાં તેનું બહુ ચાલ્યું નહિ. અંગ્રેજ એલચીનું ખૂન કરવામાં આવ્યું, અને પહાડી શત્રુઓથી ઘેરાયલા સૈન્યને બરફનાં તાફાનામાં ખૈબરઘાટને રસ્તે પાછા ફરવું પડયું. એ જબરી સેનામાંથી માત્ર એકજ, થાકેલા, ભૂખ્યા, દુર્બળ ઘેાડેસવાર રવડતા રઝળતા જલાલાબાદ પહેાંચવા પામ્યા, ઇ. સ. ૧૮૪૧.
ત્યાર પછી પરમ સાહસિક, યુદ્ધકલામાં પ્રવીણ, અને સાધનસંપન્ન સીખાના વારા આવ્યા. એ વિગ્રહામાં ઘેર યુદ્ધો મચ્યાં, અને ઇ. સ. ૧૮૪૯માં પંજાબને અંગ્રેજી રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યા. સિંધ અને દક્ષિણ બ્રહ્મદેશ આદિ સરહદ પર આવેલાં રાજ્યાની પણ એજ ગતિ થઈ.
સીખ લેાકા સાથેને વિગ્રહ સમાપ્ત થયે, એ અરસામાં લાર્ડ ડેલહાઉસી ગવર્નર જનરલ હતા. તેણે સ્વીકારેલી · ખાલસા નીતિ'થી કેટલાક રાજાએ અસંતુષ્ટ થયા. તેણે નહેરા, આગગાડી, રસ્તા, તાર, ટપાલ, અને કેળવણીના અનેક સુધારા કર્યા, પણ તેથી પ્રજામાં સંશય અને ભય ઉત્પન્ન થયાં, અને આ તે લેાકાને ધર્મભ્રષ્ટ કરવાની યુક્તિ છે એમ મનાવા લાગ્યું. દેશમાં અસ્વસ્થતા આવવા લાગી, તેમાં વળી શૈાર્યથી ઉન્મત્ત થએલા સિપાઈ ઓમાં વાત ચાલી, કે નવાં કારતુસેામાં ગાય અને ડુક્કરની ચરખી લગાડેલી છે. તેમને લાગ્યું કે સરકાર ધર્મમાં હાથ ઘાલે છે, અને સર્વને ફીરંગી બનાવી ધર્મભ્રષ્ટ કરવામાં આવનાર છે. હવે સુકા ધાસમાં અગ્નિ પડયા હાય એમ બન્યું. મીરતમાંથી ખંડ શરૂ થઈ ઉત્તર અને મધ્ય હિંદમાં પ્રસરી ગયું. બંગાળાનું સૈન્ય તેમાં ભળ્યું. સર્વે દિલ્હી દાડયા, એટલે મેગલ સામ્રાજ્ય