________________
૩૮૯
અને હિંદના અગિઆરમાંથી સાત પ્રાંતમાં મહાસભા પક્ષે વધુમતીથી પોતાનાં પ્રધાનમંડળેા રચ્યાં છે. હજુ સુધી ગવર્નરાએ મહાસભાના પ્રધાનમંડળના કારભારમાં ખાસ માથું માર્યું નથી. કેન્ગ્રેસ પ્રધાનમંડળેા પેાતાથી જેટલું બની શકે તેટલું કાર્ય પ્રજાહિતાર્થે બજાવી રહ્યાં છે. પરંતુ હિંદમાં કામીવાદના ઝગડા હજી ચાલ્યા કરે છે, અને મુસ્લીમ લીગ કાન્ગ્રેસના વિરોધ કરી રહી છે. આમ જ્યા ઢ્ઢાની કારકીર્દિની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય મામલે વિકટ બન્યા છે એમ કહી શકાય.
પ્રકરણ ૧૪મું સામ્રાજ્યના વર્ષો ૧. હિંદુસ્તાન
દક્ષિણમાં અંગ્રેજો અને કેન્ગેા વચ્ચે ચાલેલી સ્પર્ધાનું પરિણામ આપણે જાણીએ છીએ. તે વેળા કર્ણાટકના નવાબ અને નિઝામ એ બે અંગ્રેજોના સ્નેહી હતા, અને કંપનિ પાસે ઉત્તર સરકાર, કલકત્તા, મુંબઈ, અને મદ્રાસની આસપાસના ઘેાડા પ્રદેશ હતા. ત્યાર પછી બંગાળા, બિહાર, અને ઓરિસ્સા પ્રાંતાની ‘દિવાની’ એટલે કર વસુલ કરવાની સત્તા કંપનિને મળી, એથી કરીને ત્યાં કંપનને પરાક્ષ અધિકાર થયા. પરંતુ બંગાળાના નવાબ મીરજાફર પછી આવેલા મીરકાસમે કંપનિ જોડે સંબંધ બગાડયા, અને અયેાધ્યાના નવાબ જોડે મળી અંગ્રેજો સામે યુદ્ધ કર્યું; પણ બકસરના યુદ્ધમાં તે હાર્યાં. એથી બંગાળા જેવા સધન પ્રાંત પર કંપનિને પૂર્ણ અમલ જામ્યા, અને કલાઈવ સુખા થયેા. તેણે કંપનિના નેકરાની રૂશ્વતખોરી સખત હાથે દબાવી ઈ રાજ્યવહીવટમાં સુધારા કર્યાં; પણ તેની સખતીથી ત્રાસેલા તેના વિરાધીએએ પાકાર ઉડાવ્યા, એટલે કલાઈવને પાછો ખેલાવી લેવામાં આવ્યા. ત્યાં પણ શત્રુઓએ તેને સુખવારા આવવા દીધા નિહ. તેનાં કાર્યો પર કડક ટીકાએ થઈ, અને ઇ. સ. ૧૭૭૪માં કંટાળીને તેણે આત્મહત્યા કરી, પરંતુ તે પૂર્વે એવા નિર્ણય કરવામાં આવ્યો હતા, કે વેપારાર્થે હિંદ ગએલી કંપનિ અંગાળા જેવા પ્રાંતની અને ખીજા મુલકની હાક્રમી કરે છે, તે પાર્લમેન્ટે હવે