________________
૨૯૦ અને આખરે એક માણસ સમગ્ર દેશનો ભાગ્યવિધાતા થઈ બેસશે. બના પુસ્તકની ગંભીર અસર થઈ ઇગ્લેન્ડના રાજદ્વારીઓએ ક્રાન્તિકારક વૃત્તિઓને મજબુત હાથે દબાવી દેવાની વૃત્તિ અંગીકાર કરવા માંડી.૧
આ દરમિઆન સરકારે તટસ્થવૃત્તિ જાળવી. મુખ્ય મંત્રી પિટ્ટ માનતો હતો, કે ફ્રાન્સ સિવાયના બીજા દેશોને વિપ્લવ જેડે કશે સંબંધ નથી. તે વિપારવૃદ્ધિ અને આર્થિક ઉન્નતિના પ્રશ્નોમાં એટલે બધે તલ્લીન રહેતા, કે તેને યુરોપને રાજદ્વારી મામલે તપાસવાનો અવકાશ ન હતો. તેણે એમ પણ માન્યું કે દેશમાં આવું જબરું પરિવર્તન થતું હોવાથી ફાન્સ પિતાની આંતર વ્યવસ્થામાં એટલું બધું ગુંથાઈ રહેશે, કે કેટલાંક વર્ષ સુધી ઈગ્લેન્ડને તેના તરફથી ભય રહેશે નહિ, અને એથી કરીને દેશની સર્વાગ ઉન્નતિ સાધવાના કાર્યમાં સરળતા મળશે. આથી જ તે આરૃિઆ અને પ્રશિઆ જોડે ભળ્યો નહિ. ઈ. સ. ૧૭૯રમાં ફ્રેન્ચ પ્રજાએ યુરોપની બધી પ્રજાઓને પિતાના દાખલાને અનુસરવાનો સંદેશ આપે, અને જે પ્રજા પોતાના રાજ વિરુદ્ધ શસ્ત્ર લઈ ઊઠે, તેને સહાય આપવાનું વચન આપ્યું. ફેન્ચ સૈન્ય શત્રુઓને હરાવી ટ્રિઅન નેધર્લન્ડઝ (બેજીયમ) કબજે કરી શેટ નદીમાં દરેક દેશને વહાણ લાવવાની રજા આપી પૂર્વે થએલી સંધિને ભંગ કર્યો, અને અંગ્રેજો અને વલંદાઓના વેપારને ફટકો માર્યો. હવે પિટ્ટને પિતાની નીતિ બદલવાનો વારો આવ્યો. ઈગ્લેન્ડની પાસેના દેશમાં ફ્રાન્સ જેવો જુનો શત્રુ આવી ભરાય તે કેમ ચાલે ? હજુ ઈગ્લેન્ડ પિતાની કાર્યદિશાનો નિર્ણય
૧. આ વિગ્રહ દરમિઆન પિટ્ટની આંતર નીતિ સખતાઈ ભરેલી હતી. સુધારાના કાયદાઓ અટકી પડયા એટલું જ નહિ, પરંતુ દમનનીતિ છડેચેક દાખલ કરવામાં આવી. ફ્રાન્સમાં ચાલેલા આસુરી અત્યાચારોથી ઈંગ્લેન્ડના રાજદ્વારીઓ ગભરાઈ ગયા. તેવાજ તોફાને ઈંગ્લેન્ડમાં થતાં અટકાવવા માટે પ્રજાના વિચાર અને વાણીના સ્વા"તંત્ર્ય ઉપર દાબ મૂકવામાં આવ્યા. પરદેશીઓ ઉપર સખત દેખરેખ રાખવામાં આવી. હેબીઆસ કોર્પસ કાયદાનો અમલ મોકુફ રાખી અધિકારીઓને શકદાર વ્યક્તિઓની ધરપકડ કરવાની વિશાળ સત્તા આપવામાં આવી. પછી બીજા કાયદાઓ કરી રાજદારી સભાઓ, ક્રાન્તિકારક ભાષણો, અને વર્તમાનપત્રો ઉપર બંધનો નાખવામાં આવ્યાં. પિટ્ટના મૃત્યુ પછી આવનાર મંત્રીઓએ પણ તેવી જ રાજનીતિનાં તત્ત્વો સ્વીકાર્યા.