________________
૩૧૧
શકે નહેત. હજુએ રેજીના દર હલકા અને અનાજ મેવું હતું, એટલે સરીબોને પૂરતું ખાવાનું તે ક્યાંથી મળે? આથી સ્ત્રીઓ અને બાળકને ગજા ઉપરાંત કામ કરવું પડતું. બિચારાં કુમળાં બાળકોને કોલસાની અશુદ્ધ હવાવાળી, અંધારી, અને ઉડી ખાણોમાં મોટી ગાડીઓ ખેંચી જવાના બદલામાં થોડાક પેન્સ મળતા. ખેતીનું તો ઠેકાણું ન હતું; ગામડાંઓમાં તે નિધન ખેડુત કે મજુરોનાં સાંકડાં ઘરમાં આરોગ્ય સાચવવાનાં સાધન ન હતાં, ઉદ્યોગ અને વાણિજ્ય પણ અટકી પડ્યાં હતાં, અને દળવાર્થીનું નામ કઈ લેતું ન હતું. આવી દશામાં પ્રજા એકત્રિત થઈ આત્મોદ્ધાર સાધે એવી આશા શાની રખાય ? પરદેશમાં કે સંસ્થાનોમાં સર્વત્ર લગભગ અશાંતિ હતી. કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં વિદ્રોહ થવાની તૈયારી હતી. તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનના વિકટ પ્રશ્નોને છેવટને નિર્ણય આણવાનો હતો. વિહગ પક્ષને લૈર્ડ મેબોર્ન સુખવાસી સ્વભાવનો અને પ્રમાદી મંત્રી હતો. એટલે તેને સુધારો કરવાનું સૂચવે, ત્યારે તે કહે કે “એ એમ ને એમ રહેવા દિને.” પરિશ્રમ કર્યા વિના પરિસ્થિતિ સુધરી જશે, એમ તે કદાચ માનતા હશે!
હક પ્રાર્થીઓઃ Chartists. આવી ગંભીર સ્થિતિમાં સામાન્ય મનુષ્ય માનતા, કે અમારા હાથમાં રાજકીય સત્તા હોય તો આવાં સંકટોનું નિવારણ થઈ જાય. વળી પાર્લામેન્ટમાં કામદારોને અવાજ ન હતો, તેમજ સુધારાથી પણ તેમને સુખ, સંતોષ, કે સગવડ મળ્યાં ન હતાં. એથી ઇ. સ. ૧૮૩૮માં એક જબરી સભામાં “લોકને પટ્ટો” એ નામને લેખ તૈયાર કરી તેમાં છ માગણીઓ કરવામાં આવી. ૧. પ્રત્યેક નિષ્કલંક અને સચ્ચરિત મનુષ્યને મતાધિકાર આપવો જોઈએ. ૨. મતદારોની સંખ્યા સમાન રહે, એવી રીતે દેશના વિભાગ કરવા જોઈએ. : ૩. ગુપ્ત રીતે મત આપવાની પદ્ધતિ પ્રચલિત કરવી જોઈએ. ૪. ધનિક વા નિધન સર્વને પાર્લમેન્ટના સભ્ય થવાને સમાન આધકાર હોવો જોઈએ. ૫. પાલેમેન્ટ પ્રતિવર્ષ મળવી જોઈએ. ૬. પાર્લામેન્ટમાં આવનાર સભ્યને મહેનતાણું મળવું જોઈએ.
એકંદરે આ હીલચાલ છેક ઈ. સ. ૧૮૪૮ સુધી ચાલુ રહી. તેના સંચાલકમાં “શારીરિક શક્તિદલ” અને “નૈતિક શક્તિદલ' એવાં બે તડ પડ્યાં