________________
૩૨૧
મૃત્યુ પર્યંત તે સ્થાને રહ્યો. ઇ. સ. ૧૮૬૧માં પ્રિન્સ આલ્બર્ટના વિદેહ ચુવાથી વૈધવ્ય સ્થિતિમાં આવેલી રાણી જાહેર જીવનમાંથી લાંબા સમય સુધી નિવૃત્ત થઈ.
પામર્સ્ટનના બીજી વેળાના અધિકારમાં અમેરિકામાં આંતરવિગ્રહ જાગ્યા. ઉત્તર અમેરિકામાં ઉત્તર અને દક્ષિણ સંસ્થાનાને લાંબા કાળથી વિરાધ ચાલ્યા આવતા હતા. તેમની આખેહવા, પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ, અને જરૂરિઆતે પણ ભિન્ન ભિન્ન હતી. દક્ષિણ સંસ્થાનામાં ગુલામાનો વેપાર ચાલતા હતા, છતાં ત્યાંના વેપારીએ નિર્ધન રહેતા; અને ઉત્તર સંસ્થા નોમાં ગુલામી બંધ હાવા છતાં વેપારીએ સમૃદ્ધ હતા. ઇ. સ. ૧૮૬૧માં અબ્રાહામ લિંકન નામનો ગુલામી પ્રથાનો કટ્ટો શત્રુ સંયુક્ત સંસ્થાનોનો પ્રમુખ થયા, એટલે ગુપ્ત રહેલા વિરાધ બહાર આવ્યા, અને ચાર વર્ષે સુધી વિગ્રહ ચાલ્યે. વિગ્રહ દરમિઆન લિંકનનું ખૂન થયું, પણ અંતે ઉત્તર સંસ્થાનીઓનો જય થયા, અને સંસ્થાનોનું ઐક્ય અને ખળ અખંડ રહ્યું. આ વિગ્રહ દરમિઆન ઉત્તરવાસીઓના કાફલાએ દક્ષિણનાં બંદરાને ઘેશ ઘાલવાથી પરદેશથી માલની આવજા બંધ પડી, અને ઈંગ્લેન્ડને ત્યાંથી મળતું રૂ બંધ થયું. પરિણામે લંકેશાયરનાં અસંખ્ય કારખાનાં બંધ પડયાં, એટલે મણિત કામદારો રાજી વિનાના થઈ પડયા. આવા પ્રજાકીય આપત્તિના સમયમાં પણ પામર્સ્ટને તટસ્થપણું જાળવ્યું.1
પાર્લમેન્ટની સુધારણાનો બીજો કાયદેાઃ પામર્સ્ટનના મૃત્યુ પછી
૧. બે વખત ઈંગ્લેન્ડને યુદ્ધમાં ઉતરવાના સંયોગે। આવ્યા હતા. ઇ. સ. ૧૮૮૨ માં દક્ષિણ સંસ્થાનાના બે એલચીએ અંગ્રેજી વહાણમાં બેસીને યુરોપ આવતા હતા, ત્યારે રસ્તામાં ઉત્તર સંસ્થાનાની ક્રુઝરે તેમને પકડયા. પામર્સ્ટને તેમને છેડી દેવાની માગણી કરી, અને ચતુર લિંકને વખત વિચારી તે ખુલ કરી. તે સમયે ઘણા વેપારીએ દક્ષિણ સંસ્થાના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા, અને તેમની મદદે હથિચારબંધ વહાણા મેાકલતા. આવા એક વહાણે ઉત્તરવાસીએનાં વેપારી વહાણાને હુમાવીને કે લૂંટીને ખૂબ નુકસાન કર્યું. જીનીવામાં ભરાએલી આંતરરાષ્ટ્રીય અદ્દાલતે ઈન્સાફ આપ્યા, કે એ વહાણ બ્રિટિશ બંદરમાં બંધાયું છે, માટે બ્રિટનને શિરે સર્વ જોખમદારી હેાવી જોઇએ; પાછળથી બ્રિટનને તે માટે ભારે દંડ આપવા પડયા હતા.
૨૧