________________
પ્રકરણ ૧૦નું લોકશાસનના વિકાસ
એડવર્ડ માઃ ઇ. સ. ૧૯૦૧-૧૯૧૦. રાણી વિકટારિઆના મરણુ પછી તેને જ્યેષ્ઠ પુત્ર એડવર્ડ ૭મેા ૬૦ વર્ષની વયે રાણી એલેકઝાન્ડ્રા જોડે ગાદીએ આવ્યા. તેણે મહારાણીના અમલમાં ‘પ્રિન્સ આવુ વેલ્સ' તરીકે અનેક દેશામાં પ્રવાસ કર્યા હતા. તેણે રાજકાજની નિપુણતા અને પ્રજાના પ્રેમ ઉપરાંત અનેક રાજ્યે વિષે અગાધ જ્ઞાન મેળવ્યું હતું. તે દીલદાર, મીલનસાર, અને મમતાળુ સ્વભાવના રાજા હતા. ગાદીએ આવતા પહેલાં કાઈ પણ રાજદ્વારી પક્ષ પ્રત્યે તે ખાસ વલણ ધરાવતા ન હતા, એટલે તેના અમલમાં રાા અને પ્રધાને વચ્ચે ગેરસમજુતી થવાના પ્રસંગે ઉભા થયા નહિ. વિગ્રહને તિરસ્કાર અને શાંતિ માટેની ઉત્કંઠાને લીધે એડવર્ડને ‘શાંતિપ્રવતક’નું ઉપનામ વધુ છે.
એડવર્ડ ૭મા
બ્રિટનની દેશાંતર નીતિઃ વિકટારિઆના પાછલા અમલમાં આરંભાએલા આર વિગ્રહ દરમિઆન એવી વાત ચાલતી હતી, કે યુરોપનાં મહારાજ્યા એકત્ર થઈ ખેઅર લેાકને સ્વરાજ્ય આપવાની ઈંગ્લેન્ડને ફરજ પાડનાર છે. ઓગણીસમા સૈકાને અંતે પરરાષ્ટ્રોના સંબંધમાં ઇંગ્લેન્ડે તટસ્થ નીતિ સ્વીકારી હતી, એટલે ભીડ પડે ત્યારે કાઈ રાજ્ય તેને સહાય આપે તેમ ન હતું.
ક્રીમિઅન વિગ્રહથી માંડીને તુર્કસ્તાનના મામલામાં પણ ઈંગ્લેન્ડે રશિ વિરુદ્ધની રાજનીતિ અંગીકાર કરી હતી. રશિઆના અઘાનિસ્તાન અને ઈરાન જોડેના સબંધ પ્રત્યે અને એશિઆ ખંડની હીલચાલ પ્રત્યે ઈંગ્લેન્ડ શંકાની નજરે જોતું હતું. મિસર અને આફ્રિકાના ખીજા પ્રદેશમાં
3