________________
૩૫૦.
પ્રસંગને પૂરે લાભ ઉઠાવવા માટે બેલજીયમની વહાર કરશે, એટલે તે દેશમાં તેની વગ વધી જશે. અનેક સૈકાંથી ઈલેન્ડની રાજ્યનીતિને એક અગત્યને મુદ્દો એ હતો કે શેલ્ટ નદી ઉપરથી ઈગ્લેન્ડની સલામતીને કોઈ મહારાજ્ય ભંગ ન કરે, એ ખાસ ધ્યાનમાં રાખવું. વળી બેજીયન પિતાનો દેશ હોલેન્ડ સાથે જોડાઈ ન જાય તે માટે ગમે તે ભેગ આપવા તૈયાર હતા. એટલે પ્રસંગ ઓળખીને પામર્સ્ટને લંડનમાં મહારાજ્યોની પરિષદ્ બોલાવી. આમાં ગ્રેટબ્રિટન, ઑસ્ટ્રિઆ, રશિઆ, મુશિઆ, ફ્રાન્સ અને બેજીયમનાં રાજ્યોએ સંધિ કરી બેલજીયમનું સ્વાતંત્ર્ય સ્વીકાર્યું, અને સેકસ કેમબર્ગના લિઓપોલ્ડને તેને રાજા ઠરાવ્યો. હેલેન્ડથી આ રાજ્યહાનિ ખમાઈ નહિ. તેને નવી યોજના ખેંચી, એટલે તેણે યુદ્ધ ચાલુ રાખ્યું. ત્યાર પછી લગભગ આઠ વર્ષે પામર્સ્ટનના અથાક પ્રયત્નોથી ગ્રેટબ્રિટન, ઑસ્ટ્રિઆ, પ્રશિઆ, ફ્રાન્સ, રશિઆ, અને હોલેન્ડ વચ્ચે સંધિ થઈ. પરિણામે બેલજીયમ સ્વતંત્ર રાજ્ય ગણ્યું, અને યુદ્ધવેળા પક્ષકારેએ તે દેશને તટસ્થ ગણ એવી જામીનગીરી લેવાઈ, ઈ. સ. ૧૮૩૯. આમ પામર્સ્ટનની નીતિને પ્રતાપે બેજીયમ ફ્રાન્સના બુર્બાન કુટુંબના રાજ્યવંશીના હાથમાં જતાં બચ્યું, અને ઈગ્લેન્ડનું મિત્ર બન્યું.
મહમદઅલ્લીઃ ફ્રાન્સની વગ બને તેટલી ઓછી કરી ઈંગ્લેન્ડની મહત્તા વધારવાની પામર્સ્ટનની નીતિને પ્રતાપ અન્યત્ર પણ જણાય છે. મિસર તુર્કસ્તાનને પ્રાંત હતું, અને ત્યાં મહમદઅલ્લી નામે પ્રતાપી આબેનિયન સુબે હતા. તેણે કુનેહ, આત્મશક્તિ, અને ફ્રાન્સની મિત્રાચારીથી પિતાની સત્તા જમાવી પિતાનું જળ અને સ્થળ સૈન્ય એવું તે સબળ બનાવ્યું, કે ગ્રીસ જોડેના યુદ્ધમાં સુલતાનને તેની સહાય સોનાના ભૂલની થઈ પડી. પરંતુ ત્યારપછી મહમદઅલી અને સુલતાન વચ્ચે ઝગડે ઊઠ. એથી મહમદઅલ્લીએ સૈન્ય સાથે કોન્સ્ટન્ટિનેપલ ઉપર ચઢાઈ કરી. પરંતુ રશિઆને ઝાર સુલતાનની કુમકે ધાયે, અને તેના બદલામાં સુલતાન પાસેથી તેણે વચન લીધું, કે ડાનસની સામુદ્રધુનિમાં રશિઆ વિના કઈ વિદેશી રાજ્યનાં લડાયક જહાજોને આવવા દેવાં નહિ. પામર્સ્ટન આ છુપા કસરની જાણ થતાં લાગે તાકી બેસી રહ્યો. ઈ. સ. ૧૮૩૯માં મહમદઅલી .