________________
૩૩૪
અમરજ રહે છે. એ પછી ઈલિઝાબેથ કાઈ નામે એક દયાળુ સન્નારીએ આ કાર્ય ઉપાડી લીધું. પરિણામે કેદમાંથી છૂટયા પછી પ્રમાણિક મહેનતથી કેદીઓને ભણતાં અને સીવતાં શીખવવાના વર્ગો તેણે લેવા માંડયા. આજીવિકા મેળવવામાં સરળતા મળે, તેવા સ્તુત્ય આશયથી ધીમે ધીમે કેદખાનાંમાં સુધાર થયા, અને સરકારે જુનાં કારાગૃહે તેડી અર્વાચીન ધોરણે નવાં કેદખાનાં બાંધવા માંડયાં.
આ સમયનું સાહિત્ય તેજસ્વી છે. શ્રીમંતના આશ્રયને બેપરવા સુપ્રસિદ્ધ કષકાર ડૉકટર જહન્સન ૧૮માં સૈકાના ઉત્તરાર્ધમાં થયે, અને પિતાના પ્રિય મિત્ર ગોલ્ડસ્મિથના મરણને શેક કરવા જીવતો રહ્યો. ગિબને “રામન મહારાજ્યની અવનતિ અને નાશ’ એ નામનું પુસ્તક આજ સમયમાં લખ્યું. સહૃદય કાઉપર, સ્વદેશવત્સલ બન્યું, કુદરતપ્રેમી વર્ડઝવર્થ, ઉજજવલ કલ્પનાવાળા શેલી અને કીટસ, તેમજ જગતષી બાયરન ઉપરાંત કેમ્પબેલ કોલરિજ આદિ કવિઓ આ સમયે પ્રસિદ્ધ હતા. ડેનિયલ ડીફે પછી એંટ થેકેરે અને ડિકન્સ જેવા માન્ય થઈ પડેલા ગ્રંથકારેએ ઉત્તમ વાર્તાગ્રંથ રચી સમાજજીવનનાં વિવિધ અંગોને સ્પર્શ કર્યો. ત્યારે હેલમ ગ્રેટ અને મેકોલે આદિ ઇતિહાસકારોએ ગદ્ય શૈલીને નવું વલણ આપી ઇતિહાસનું નવું સ્વરૂપ રચ્યું. વિકરિઆના અમલ દરમિઆન ઉચ્ચ સાહિત્યને પ્રવાહ ચાલુજ રહ્યો. મજૂરવર્ગની દયામણી સ્થિતિથી સંતાપ પામેલા ઋષિસમાં કાર્બાઈલે પિતાનો આર્તનાદ પોતાના ગ્રંથમાં ઉતાર્યો, અને રસ્કિને મધુર ભાષામાં ભૂતદયા જાગૃત કરી. ટેનિસન અને બ્રાઉનિંગ જેવા કવિવરેએ આશાવાદનું પ્રતિપાદન કર્યું. મેરીડીથ, મેલ, વેલ્સ, અને બર્નાર્ડ શોનાં નામ તે કેવાં સુપરિચિત છે ? આ સમયમાં મુદ્રણકળામાં સુધારા થવાથી અનેક વિષયો પર સંકડો ગ્રંથ પ્રસિદ્ધ થવા લાગ્યા, અને અનેક દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, ત્રિમાસિક, અને વાર્ષિક પત્રો થકબંધ ઉભરાવા લાગ્યાં. આ ઉપરાંત શાસ્ત્રીય જ્ઞાનને પણ વિસ્તાર થયો. યંત્રની શેધ થયા પછી રસાયન, ભૂસ્તર, અને વિદ્યુત શાસ્ત્રોની પ્રગતિ થવા લાગી. “જાતિની ઉત્પત્તિ” નામે ચાર્લ્સ ડાર્વિનના ગ્રંથમાં જીવનમાં વિકાસતત્ત્વ હોવાની કલ્પનાએ ભાષાશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને રાજકારણુશાસ્ત્રમાં પ્રવેશ કર્યો. પરિણામે પ્રત્યેક વિષેનું ઇતિહાસદૃષ્ટિએ અવેલેકને કરવાની પદ્ધતિ દાખલ થઈ.