________________
૨૮૯
જાણે તેમ ક્રાપનહેગન તરફ કાક્ષ્ા રવાના કરી દીધા. નિર્ભય ડેનોએ પોતાને કાટ્લે અંગ્રેજોને સોંપવાની ના પાડી, એટલે કેાપનહેગન પર અંગ્રેજ તાપેાનો ભયંકર મારા શરૂ થયે!. ચાર દિવસમાં ડેન કાફલા શરણે આવ્યા, અને પુષ્કળ સામગ્રી તથા દારૂગાળા સહિત તેને ઈંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો.
દ્વીપકલ્પીય વિગ્રહઃ ઇ. સ. ૧૮૦૮–૧૮૧૪. દરમિઆન નેપોલિયનના ઉપર ભાગ્યદેવી પ્રસન્ન હતી. તે એક સામાન્ય લશ્કરી અમલદારમાંથી બાર વર્ષમાં ફ્રાન્સનો સમ્રાટ્ અને યુરે।પના સત્તાધીશ થઈ બેઠા. યુરેાપના ઘણાખરા રાજ્યકર્તાએ તેની કૃપાની યાચના કરતા પોતાના રાજમુકુટા નમાવી તેના પગ પાસે ઢળી પડતા. તેના બર્લિનના ફરમાનના પ્રકટ અનાદર કરવાની કાઈની તાકાત ન હતી. પરંતુ પોર્ટુગલના નાના રાજ્યને આ ફરમાન માન્ય ન હતું, એટલે ધે ભરાએલા નેપોલિયન સૈન્ય સહિત તે દેશમાં ગયા, અને ત્યાંના રાજાને પદભ્રષ્ટ કરી પોતાના ભાઈ ને ગાદીએ બેસાડયા. એથી રાજકુટુંબ વખાનું માથું બ્રાઝિલ ચાલ્યું ગયું. તે દરમિઆન સ્પેનના રાજાને યુક્તિપ્રયુક્તિથી સમાવી નેપાલિયને તેને પણ રાજ્યગાદી છેડવાની ફરજ પાડી, અને ત્યાં પોતાના ખીજા ભાઈ ને ગાદીએ બેસાડયેા. સ્પેનની તેજસ્વી પ્રજા આવું કષ્ટ સહન કરી શકી નહિ, અને ત્યાં બળવા થયા. આમ પોર્ટુગલ અને સ્પેનમાં નેપોલિયનની આણ વર્તાઈ, પણ પ્રજાકીય બળવા શરૂ થયા; એટલે ઈંગ્લેન્ડે પ્રસંગ વિચારી આ બંને દેશને ધન અને સૈન્યની સહાય આપવા માંડી.
આ કામને માટે સર આર્થર વેલેસ્લીને પસંદ કરવામાં આવ્યા. તે ભાવહીન, આવેશરહિત, કડક, અને શ્લેષ્મ પ્રકૃતિવાળા હતા. પરંતુ તેણે મરાઠા સાથેનાં યુદ્ધોમાં અપ્રતિમ કીર્તિ મેળવી હતી. તેની સરદારી નીચે વિમીરાના યુદ્ધમાં અંગ્રેજ સૈન્યે ફ્રેન્ચોને હરાવ્યા, અને તેમને પોર્ટુગલમાંથી હાંકી કાઢયા. આટલેથી સ્પેનના નવા રાજાને પણ જીવ લઈ તે નાસવું પૂછ્યું. આ સમાચાર સાંભળીને નેપોલિયન માટું સૈન્ય લઈ ને સ્પેનમાં ઉતરી આવ્યા, અને તેણે મેડ્રિડ કબજે કર્યું. આ વખતે વેલેસ્લીનું સ્થાન સર્ જ્વાન મૂરે લીધું હતું. તે સાલામાન્કા જવાના પ્રયત્ન કરતા હતા, પણ સુવીર ફ્રેન્ચાના અથાગ બળ સામે તેનું કંઈ ન ચાલ્યું. અંગ્રેજ વહાણા
૧૯