________________
૩૦૩ એ યોદ્ધાં યુદ્ધનાં અનિષ્ટ પરિણામોથી અજાણ નહતા. તેણે ઈ. સ. ૧૮૨૯માં કેથલિકે વિરુદ્ધ કડક કાયદા રદ કર્યા, અને તેમને પ્રોટેસ્ટન્ટે જેટલા હક આયા; છતાં એટલે પ્રતિબંધ રાખવામાં આવ્યો કે કેથેલિકથી આયલેન્ડના સુબાનું કે લૉર્ડ ચેન્સેલરનું પદ લઈ શકાય નહિ. આ કાર્યમાં પીલે પિતાને વિરોધ તજી વેલિંગ્ટનને સહાય આપી, અને છેડી હઠ પછી રાજાએ કેથલિક બંધનમુક્તિના કાયદાને સંમતિ આપી. એથી એકેનેલ પાર્લમેન્ટનો સભ્ય થયો, પણ તેણે જીવન પર્યત પિતાની લડત ચાલુ રાખી. કેથેલિકને આવી છૂટ આપવાને કાયદો કરવાથી મતભેદને લીધે વેલિંગ્ટન અને પીલના ઘણા સહાયક તેમનાથી જુદા પડી ગયા. વળી વેલિંગ્ટનની શિથિલ દેશાંતર નીતિને લીધે મંત્રીમંડળ અકારું થઈ પડયું. પાર્લમેન્ટની સુધારણાના પ્રશ્નથી ટેરી પક્ષમાં તીવ્ર મતભેદ ઉત્પન્ન થયે. એક પક્ષ એમ માનતો કે આવી સુધારણું હાલના સમયમાં અનુકૂળ કે ઈષ્ટ નથી; પણ બીજે પક્ષ છડેચોક પિકારીને કહેવા લાગે, કે એ સડેલું તંત્ર વહેલું ફેંકી દેવાય તેમ સારું.
*
પ્રકરણ ૭મું વિલિયમ કોઃ ઇ. સ. ૧૮૩૦-૧૮૩૭ - વિલિયમ શેઃ ઈ. સ. ૧૮૩૦–૧૮૩૭. ઈ. સ. ૧૮૩૦ના જુન માસની ૨૦ મી તારીખે દુરાચારી અને વિલાસી પૅર્જના મૃત્યુસમાચાર સાંભળી ન થે કેઈને શેક, કે ન થયે રાજનીતિમાં કશે ફેરફાર. તેના પછી જર્જ ૩જાને ત્રીજો પુત્ર વિલિયમ ૪થે ગાદીએ આવ્યો. તે ખુલ્લા દીલને, ખૂશમિજાજી, મીલનસાર સ્વભાવને, અને કંઈક અપ્તરંગી હતે. તે “નાવિક રાજા”ના ઉપનામથી ઓળખાતા હતા. તેનામાં એટલી બધી સરળતા હતી કે તે હાથમાં છત્રી રાખીને રસ્તા ઉપર ચાલ્યો જાય તેમજ પિતાના જુના દસ્તો જોડે જરાએ સંકેચ વિના હાસ્યવિનોદ કરવા મંડી જાય. પરંતુ તેનામાં સર્વથી વધારે સ્તુત્ય ગુણ એ હતી કે રાજકાજમાં તે જરોએ વચ્ચે પડતા નહિ. વિલિયમ ગમે તે પક્ષના પ્રધાનોને સર્વ તંત્ર સોંપી દેત.