________________
૩૬
કાર્યમાં આસકા રહેવું. બ્રિસ્ટલમાં તોફાની લેકિએ મકાન બાળ્યાં, ખૂન કથી, અને શહેરનો કબજો લીધે; નોટિંગહેમનો કિલ્લે ભસ્માવશેષ બની ગથી. બસ એ ખર, સમગ્ર ખરડે, અને તે ખરડા સિવાય બીજું કશું નહિ, એ પિકાર ચોમેર થઈ રહ્યો છતાં આમની સભાએ સ્વીકારેલા ખરડાને અમીરેએ બીજી વાર પણ નામંજુર કર્યો, ઈ. સ. ૧૮૩૨. લેકલાગણીનું જેમ તે સ્પષ્ટ હતું. દુરાગ્રહી અમીરે જે આ પ્રમાણે પ્રજાની છછામે ઠાકરે મારે, તે કદાચ દેશમાં આંતર વિગ્રહ પણ ઉભું થાય, એવા હથિી એ રાજને નવા અમીર બનાવવાની સૂચના કરી, પણ તે અમાન્ય થઈ એટલે મંત્રીઓએ રાજીનામું આપ્યું. વેલિંગ્ટન પણ લોકવિરોધ સહીને નવું પ્રધાનમંડળ રચી શકે તેમ ન હતું, એટલે પ્રજાના પુણ્યપ્રકોપથી બચવા સાફ તેને ઘરમાં ભરાઈ રહેવાનો વારો આવ્યો. તેનાં શૌર્યવીર્ય ગમે તેટલા આદરણીય હશે, પણ અત્યારે તે લેકમતની વિરુદ્ધ ચાલવા માંડે, તે પ્રજાને સિનાં શૌર્યની કિંમત નહતી. રાજાએ ગ્રેને પુનઃ મંત્રીપદ આપ્યું, અને સુધારણાનો ખરડો પસાર કરવા માટે જે યોગ્ય હોય તે કરવાની ઇચ્છા દર્શાવી. ઈ. સ. ૧૮૩૨ના જુનની ૪થી તારીખે ફરીથી એનો એજ ખરડે એ. વેલિંગ્ટન અને બીજા વિધી અમીરે તે દિવસે ગેરહાજર રહ્યા, અને બિહગ બહુમતીથી ખરડે મંજુર થતાં તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું.
આ ખરડાથી ૨,૦૦૦થી ઓછી વસ્તીવાળા પ૬ કઆનો મતાધિકાર ખેંચી લેવામાં આવ્યો, અમે ૪,૦૦૦થી ઓછી વસ્તીવાળા ૩૦ કસ્તાને એક પ્રતિનિધિ એ છે મોકલવાની આજ્ઞા થઈ. વળી આ પ્રમાણે ખાલી પડેલી ૧૩૩ બેઠકમાંથી ઔદ્યોગિક પરિવર્તનથી સમૃદ્ધ થએલાં નગરોને કેટલીક બેઠકે આપવામાં આવી, અને કેટલાંક મોટાં પરગણાં અને કબાઓને વધારે પ્રતિનિધિઓ મોકલવાનો હક આપવામાં આવ્યા. એ સાથે વરણીના સમયે મત આપવાનો સમય ટુંક કરવામાં આવ્યો, તેમજ વસ્તીના પ્રમાણમાં મતાધિકાર આપી એવું ઠરાવવામાં આવ્યું, કે શહેરમાં વાર્ષિક ૧૦ પૌડની ઉપજેવાળાને મત આપવાનો અધિકાર રહેશે. આ પ્રમાણે અત્યાર સુધી દેશના રાજ્યવહીવટમાંથી દૂર રાખવામાં આવેલા મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના કારગરે પણ પ્રતિનિધિત્વ ધરાવતા થયા. આ સંચલનમાં હિંગ