________________
૨૯૯ પીલ એક સામાન્ય રૂ કાંતનારનો પુત્ર હતા. તે ટેરી પણ સમયસૂચક અને પ્રગતિપ્રિય હતો. તેણે તે સમયના અંધેર ફોજદારી કાયદામાં સહૃદયતા અને ન્યાય દાખલ કરવાનો પ્રયત્ન કર્યો. તે જમાનામાં દેહાંતદંડની શિક્ષા સામાન્ય હતી. કેઈએ દુકાનમાંથી એકાદ વાર કાપડની ચોરી કરી હોય. કે તળાવમાંથી માછલી પકડી હોય, અથવા રાજાના જંગલમાં શિકાર કર્યો હેય, કે વેસ્ટ મિન્સ્ટરના પૂલને જરા નુકસાન કર્યું હોય, તે એટલું જ કે ચડાવ ફાંસીએ. ફાંસી આગળ વીસ ત્રીસ અપરાધીઓની હાર થઈ રહેતી. પંચથી આ અન્યાય દેખે ખમાતો નહિ, પણ આવા અપરાધ માટે બીજી હલકી સજા નહોતી, એટલે ગુનો કર્યા છતાં ગુનેગાર દેહાંતદંડ દેવા ગ્ય ન હોય, તે તેને છોડી મૂકવામાં આવતો. કેઈ બાળકને વૃક્ષની ડાળી કાપવા માટે, અથવા કોઈ સ્ત્રીને પાઉંનો એક કકડો ચોરવા માટે કર્યો નિર્દય ન્યાયાધીશ મતની શિક્ષા કરે ? પરંતુ આમ કરવામાં તે વાસ્તવિક રીતે બેવડે અન્યાય થતો. દરમિઆન રેમિલી નામને અમીરે આ દિશામાં આછા અધુરા પ્રયત્નો કર્યા, અને આમની સભાએ ઘણી વાર ઠરાવ કર્યા, કે નામના અપરાધીઓને માટે ભારે દંડ ન હોય, પણ અમીરેની સભા બહેરી થઈને બેઠી હતી. આખરે પીલે કળે કળે કામ લેવા માંડ્યું, અને ઈ. સ. ૧૮૨૪માં તેના અખંડ પરિશ્રમથી સોએક નાના અપરાધને માટે દેહાંતદંડની સજા રદ કરવામાં આવી. હવે ક્રમેક્રમે કાયદાઓ વધારે ન્યાયી થવા લાગ્યા. - વિલિયમ હસ્કિસન નામના વાણિજ્યમંત્રીએ આથીએ વધારે દૂરગામી પરિણામવાળા સુધારા કરવા માંડયા. કૅલના સમયથી ચાલતા આવતા નૌયાનના કાયદાથી પરદેશી વહાણમાં ભરાઈ આવતા માલ પર ભારે જકાત લેવામાં આવતી, પણ તે કેટલે કાળ ચાલે? ઈગ્લેન્ડ જે આવા ધારા ઘડે, તે પછી બીજા દેશે ઈંગ્લેન્ડ પર અંકુશ મૂકનારા ધારા શા માટે ન ઘડે ? આવી સંરક્ષણનીતિને પરિણામે કારીગરે અને વેપારીઓને પરદેશી સ્પર્ધાનો ભય ટળી ગયે, એટલે તેઓ સારે માલ ઉત્પન્ન કરવાની ઉત્કંઠા ન રાખે, કે લોકોની રુચિ સંતોષવાની પરવા ન કરે એ દેખીતું છે. આ ઉપરાંત મધું અને સારું ખરીદવાની સ્વાભાવિક મનોવૃત્તિને વશ થઈ અનેક માણસે દાણચોરીથી પરદેશી માલ આણુતા, અને આવી દાણચોરી પકડવાની કે