________________
૩૦૦
અટકાવવાની સરકારની શક્તિ ન હેાવાથી રાજ્યને નુકસાન જતું. એથી સ્ટિસને ઇ. સ. ૧૮૩૩માં કાયદેા કરી જે દેશા બ્રિટિશ વહાણા અને માલને પૈતાને ત્યાં નિરંકુશ આવવાની છૂટ મૂકતા હોય, તેમને તેવી છૂટ આપી. તેણે રેશમ અને ઊન પરની જકાત હલકી કરી વેપારીઓને રાહત આપી, અને મજુરીના દર ઠરાવવાની કે મજુરેશને કામ શેાધવા ખીજે સ્થળે જતાં અટકાવવાની માજિસ્ટ્રેટાને મળેલી સત્તા રદ કરી. અલબત, આ સર્વ કાર્ય તે અપ સમયમાં પાર પાડી શકયા ન હતા. આરંભમાં વેપારીઓ, મજુરા, અને કારખાનાંવાળા બૂમ પાડી ઊઠયા, કે અમારા કાર્યમાં નકામી ડખલગીરી કરવામાં આવે છે, અને અમને નુકસાન થાય છે. પરંતુ આખરે વેપાર વધ્યા, અને મજુરાને લાભ થયા. આમ ઈંગ્લેન્ડમાં નિરંકુશ વેપારનો સિદ્ધાન્ત સ્વીકારવામાં આવ્યા.
કેર્નિંગની પરદેશી રાજનીતિઃ કનિંગ પિદ્મનો પરમ પ્રશંસક અને અનુયાયી હતા. તે દેશમાં શાંતિ જાળવી પ્રજાનું સ્વાતંત્ર્ય ટકાવી રાખવાના મતનો હતા. ફ્રાન્સના રાજ્યવિપ્લવ પછી યુરોપના ચમકેલા રાજાઓએ પરિષદો ભરી લાકસ્વાતંત્ર્યની ભાવનાને છૂંદી નાખવાની ચેાજના કરી હતી. રાજાના ઈશ્વરી હકનું પુનઃ પ્રતિપાદન કરવાની આ યેાજનામાં કનિંગ સમત ન હતા; કારણ કે સ્વેચ્છાચારી રાજાએ વ્યવસ્થા જાળવવાને બહાને અસહાય પ્રજાના સ્વાતંત્ર્યને છૂંદી નાખે, એ તેને મન અસહ્ય હતું. જો એમ થાય તો કાઈ સત્તા પ્રબળ થઈ બેસે, એટલે સત્તાતુલા સાચવવી પણ કહેણુ પડે. આથી ખીજાં રાજ્યા પરરાજ્યમાં માથું મારવા જાય, ત્યારે જરૂર પડે તે સાવધ થઈ જતા. સ્પેનનાં દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનાં ( મેકિસકા, પેરૂ, ચીલી ) સ્વાતંત્ર્ય મેળવવા માટે પ્રયત્ન કરતાં હતાં, તેમાં તેની ગમે તેટલી સહાનુભૂતિ હતી, છતાં તે પરદેશના મામલામાં હાથ ઘાલવા તૈયાર ન હતા. પરંતુ એ સંસ્થાનોએ જય મેળવ્યા, ત્યારે તેણે તેમને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકાર્યા. દરમિઆન રશિઆએ તેમની જોડે ફરી વિગ્રહ કરવામાં સહાય આપવાનું સ્પેનને વચન આપ્યું, એટલે સયુક્ત સંસ્થાનોના પ્રમુખ મનરાએ પડકાર કર્યાં, કે અમેરિકામાં યુરોપી રાજ્યાએ માથું મારવાની જરૂર નથી, ત્યારે ક્રેનિંગ પણ તેમાં સમત થયા. ઇ. સ. ૧૮૨૬માં સ્પેનનું લશ્કર પાર્ટુ