________________
* આ સમયે ચૌદમા લઈએ નેધલેંન્ડઝ પર ધસારે કર્યો, પણ હેલેન્ડ,
સ્વીડન, અને ઈગ્લેન્ડે ત્રિરાજ્યસંધિ કરી લુઈને આગળ વધતો અટકાવવા ધાર્યું. એથી અંગ્રેજો ચાર્લ્સ ઉપર ખુશી થયા. પરંતુ ચાટર્સને પ્રજાપ્રીતિની પરવા ન હતી. તેને તે લુઈ પાસેથી નાણાં કઢાવવાં હતા, અને લશ્કર ઉભું કરી કેથલિક પંથને પ્રચાર કરવાની અને પાર્લમેન્ટથી સ્વતંત્ર બનવાની ઉમેદ હતી. વલંદાઓ લુઈની ઈચ્છામાં વિઘરૂપ હતા, માટે તેમને ક્યરી નાખવામાં ઈગ્લેન્ડ મદદ કરે નહિ તે ભલે, પણ તટસ્થ રહીને જોયા કરે તેવી લુઈની ઈચ્છા હતી. પરંતુ ચાર્લ્સ નાણાં વિના માને કેમ ? છેવટે કેટલીક વિષ્ટિ પછી ડોવરની ખાનગી સંધિ થઈ, ઈ. સ. ૧૬૭૦. તેમાં એવું કર્યું કે ચાર્લ્સ કેથેલિક હોવાનું જાહેર કરવું, અને લુઈને વલંદા વિરુદ્ધ મદદ કરવી; તેના બદલામાં લુઈ ચાર્લ્સને ત્રણ લાખ પૌડનું વર્ષાસન આપે, અને - બળવો જાગે તે ફેન્ચ સૈન્યની મદદ પણ આપે. આમ દ્રવ્યલેભી ચાર્લ્સ લુઈનો માંડલિક બન્યો. કિલફર્ડ અને આલિંગ્ટન કેથોલિક હતા, એટલે તેમના સિવાય કાઈને આ સંધિની ખબર ન હતી. બીજા ત્રણ પ્રધાન એમ જાણતા હતા, કે રાજ કંઈક ધર્મછૂટ મૂકવા ધારે છે, અને થોડા સમયમાં હોલેન્ડ જોડે યુદ્ધ થનાર છે. ઈ. સ. ૧૬૭રમાં પાર્લમેન્ટ પાસે ચાન્સે લડાઈ માટે રકમ માગી, અને ફાન્સ જોડે યુદ્ધ થવાનું છે એમ જાણી પાર્લમેન્ટે તે રકમ આપી. પરંતુ રાજાએ હોલેન્ડ જોડે યુદ્ધ જાહેર કર્યું, અને લુઈએ નેધલેંન્ડઝના ઉત્તર ભાગમાં હલે કર્યો.
વલંદા જડે ત્રીજો વિગ્રહઃ ઈ. સ. ૧૬૭૨–૭૪. દ્વાઈન નદી ઓળંગી લુઈ વલંદાના પ્રદેશમાં પહોંચે. તેની મદદમાં એક અંગ્રેજ કાફે હતું. જે લેકે ખાનગી તહનામાથી અજાણ હતા, તેઓ આ વિગ્રહથી ખુશી થયા. પરંતુ પોતાના ચતુર સરદાર વિલિયમની સરદારી નીચે વલંદાઓએ નિશ્ચય કર્યો, કે છેવટને ઉપાય અજમાવ્યા પછી બચાવ કરવાનું ન બને, તે દરિયાપારનાં સંસ્થાનોમાં જઈ રહેવું, અથવા અખંડ સ્વતંત્રતા જાળવવા માટે પ્રાણ પાથરી દેવા. તેમણે સમુદ્રના પાણીથી રક્ષા માટે બાંધેલા બંધ તોડી નાખ્યા. એથી દરિયાના પાણી ફરી વળતાં ફેન્સે ગભરાયા. હોલેન્ડની દુર્દશા જોઈ ઓસ્ટ્રિઆ અને સ્પેન તેની મદદે આવ્યાં; છતાં અંગ્રેજો