________________
આિતી ગાદી પર હક સ્વીકારવામાં આવ્યો, સાઈલીશિયા ફેડરિકને આપવામાં આવ્યું, અને બધાં રાજ્યએ ઈગ્લેન્ડની ગાદી ઉપર હેવોવર વંશનો અધિકાર સ્વીકાર્યો. ઈગ્લેન્ડ અને ફ્રાન્સે પરસ્પર જીતેલે મુલક પાછો, આપી દેવાનું ઠરાવ્યું.
૧૭૪૫નું બંડઃ આ બંડ ઍસ્ટ્રિઆને ગાદીવારસાના વિગ્રહનું આંતર નાટક છે. ઈ. સ. ૧૭૪૩માં ડેટિજન પાસે ફેન્ચ સૈન્ય હાર્યું, એટલે તેણે વેર લેવા જે કેબાઈ ટેનું બંડ જગાડવાને પ્રયત્ન કર્યો, અને તેમની સહાય માટે ઇ. સ. ૧૭૪૪માં ફ્રેન્ચ કાલે મોકલ્યા. પરંતુ સમુદ્રના તોફાનમાં તેને નાશ થયો. | દરમિઆન પચીસ વર્ષને નૌજુવાન, ધીર, વીર, વિકી, અને સાહસિક રાજકુમાર ચાર્લ્સ પિતાને ગાદી અપાવવાના આશાભર્યા હૈયે સાત માણસો સાથે સ્કોટલેન્ડમાં ઉતર્યો. થોડા સંકોચ પછી અનેક શૂરા હાઈલેન્ડરે આ સેહામણા કુંવરને જઈ મળ્યા. ફેન્ચ સહાય આવી નહિ, એટલે તેની આશા તજી આપબળે ઝૂઝવાને નિશ્ચય કરી આ મરણીઆ બંડખોરોએ દક્ષિણ તરફ કુચ કરવા માંડી. ચાર્લ્સને કઈ રોકનાર ન હતું. પર્થમાં તેણે પિતાના પિતાને રાજા જાહેર કર્યો, અને ત્યાંથી તે હિંમતભેર એડિનબરે જઈ પહોંચ્યો. પિતાની સુંદર મુખમુદ્રા, આકર્ષક રીતભાત અને ચતુરાઈથી તેણે લેકેનાં હૃદય જીતી લીધાં. અંગ્રેજ સેનાપતિ શત્રુની શોધમાં છેક ઉત્તરમાં જઈ પહોંચે. તેણે આ સમાચાર સાંભળી ડબાર આવી એડિનબરે પર ઓચિંતા છાપો મારવાની યોજના ઘડી, ત્યાં તે પ્રભાતના આછી પ્રકાશમાં ચાર્સના શ્રા સૈનિકોએ પ્રેસ્ટનપાન્સ પાસે અંગ્રેજ લશ્કરની ઓચિંતી ભેટ લીધી. થોડી વારમાં યુદ્ધ સમાપ્ત થયું. અંગ્રેજો હાર્યાતેમનું સૈન્ય અને સેનાપતિ જીવ બચાવવા રણક્ષેત્રમાંથી નાઠાં. આ જયનો લાભ લઈને એકદમ લંડન જવાને બદલે વિજયના ગર્વમાં ઉન્મત્ત બનેલા રાજકુમારે ઈલેન્ડ જીતવાની , ઉતાવળ ન હોય, તેમ એડિનબરમાં ભેગવિલાસ માણવા માંડ્યા. હવે દૈવ તેને અનુકૂળ ન હતું, એટલે તેની ભાગ્યદશા બદલાઈ. આખરે ૫,૦૦૦ માણસનું લશ્કર એકઠું કરીને એ ઈગ્લેન્ડ જવા ઉપડ્યો. તે લેન્કેસ્ટર અને..