________________
૨૬૦
વિગ્રહના અંતઃ ઇ.સ. ૧૭૬૦માં ઈંગ્લેન્ડની સેાળે કળા ખીલી. યુરોપમાં તેની સમેવડ કાઈ રહ્યું નહિ, ફ્રેન્ચ નૌશક્તિ છિન્નભિન્ન થઈ ગઈ, અને દેશાવરમાં અંગ્રેજ સૈનિકાનાં પરાક્રમથી ઈંગ્લેન્ડના વિજયધ્વજ ફરફરવા લાગ્યા. પ્રતાપી પિટ્ટની રાજનીતિ સર્વાંશે સફળ થઈ, અને દેશમાં તેની પ્રતિષ્ઠા વધી. રાજા કે પાર્લમેન્ટમાંથી ભાર કાના, કે પિટ્ટને પ્રશ્ન પૂછી શકે? પરંતુ શિખરે પહોંચ્યા પછી ઉતરવાનું હોય, તેમ પટ્ટના અસ્તનો વખત આવ્યા. ઇ. સ. ૧૭૬૦ના આકટાબરની ૨૫મી તારીખે રાજા એકાએક મૃત્યુ પામ્યા. નવેા રાજા આપમતીલા હતા. ઇ. સ. ૧૭૬૧માં સ્પેન વિગ્રહમાં પડયું. પિટ્ટ સ્પેનના ઉદ્દેશ જાણતા હતા, એટલે તેની ચ્હા એકદમ તેની જોડે યુદ્ધ જાહેર કરી દેવાની હતી; પણ દુરાગ્રહી રાજા વિરુદ્ધ પડવાથી સ્વાભિમાની પિદે રાજીનામું આપ્યું.
સ્પેન વિગ્રહમાં -ઉતર્યું, પણ બ્રિટનના સામુદ્રિક બળ આગળ તેને હિસાબ ન હતા. વેસ્ટ ઇન્ડિઝના બાકીના દ્વીપ અને હેવાના અને મનીલાનાં નગરે અંગ્રેજોએ જીતી લીધાં. સાત સાત વર્ષ સુધી લડીને સર્વ થાકી ગયા હતા, એટલે ઇ. સ. ૧૭૬૩માં પેરિસમાં સંધિ થઈ. આથી ઈંગ્લેન્ડને ઘણા લાભ થયા; કેમકે ફ્રાન્સ પાસેથી તેને કેનેડા, કેપ બ્રિટન, ગ્રેનેડા, સાઈ નાર્કો વગેરે મળ્યાં, અને ઈંગ્લેન્ડે ફ્રાન્સને પાંડીચેરી, ચંદ્રનગર વગેરે પાછાં આપ્યાં. સ્પેનને પણ ઈંગ્લેન્ડે કયુબા અને ફિલિપાઈન દ્વીપા પાછા આપ્યા.
પેરિસની સંધિનાં ત્રણ મહાન્ પરિણામ આવ્યાંઃ (૧) અમેરિકામાં ઈંગ્લેન્ડનું આધિપત્ય સ્થપાયું; યુરેાપનું કાઈ પણ રાજ્ય તેની જાડે સ્પર્ધા કરી શકે તેવું ન રહ્યું. (૨) ફ્રાન્સના નૌકાસૈન્યને એવે ધાણુ વળી ગયે, – ઈંગ્લેન્ડનું સામુદ્રિક બળ અજોડ થઈ રહ્યું. (૩) પ્લાસીના વિજયથી હિંદમાં બ્રિટિશ સામ્રાજ્યને પામે નંખાય.
વિલિયમ પિદ્મઃ આ મહાપુરુષની પ્રતાપી રાજનીતિથી દેશની પ્રતિષ્ઠા ઉચ્ચ શિખરે પહેાંચી. તેના જન્મ ઇ. સ. ૧૭૦૮માં એક કુલિન કુટુંબમાં થયા હતા. ૨૭ વર્ષની વયે તે પાર્લમેન્ટમાં આવીને વાલપાલના વિરાધીઓમાં ભવ્યેા, અને પોતાની અદ્ભુત અને અપૂર્વ વકતૃત્વશક્તિથી સભાગૃહ ગાવવા