________________
૨૬૧ લાગે. કટરેટના સમયમાં તેણે હેનેવરનો પક્ષપાત દર્શાવનારી રાજનીતિની એવી તો ઝાટકણી કાઢી, કે પૅર્જ બીજે તેના પર કો. ઇ. સ. ૧૭૪૩માં.
પલ્હામ ભાઈ એ તેને મંત્રીમંડળમાં લેવાનો વિચાર કર્યો, ત્યારે રાજા વિરુદ્ધ પશે, અને એટલી હઠ પકડી બેઠેર કે છેવટે તેમણે રાજીનામું આપ્યું. આખરે તેમના વિના ચાલ્યું નહિ, ત્યારે રાજા પિટ્ટને અધિકાર આપવા કબુલ થયો. સપ્તવાર્ષિક વિગ્રહના આરંભમાં ન્યૂકેસલની અશક્તિ જણાઈ આવી, અને પિતાની અનિચ્છા છતાં તેને પિટ્ટને મંત્રીમંડળમાં લઈ વિગ્રહ ચલાવવાનું કામ સોંપવું
પડયું. એ વર્ષોમાં તેણે જવલંત વિલિયમ પિટ્ટ
કારકીર્દિ બતાવી હતી. લાંચરૂશ્વત અને ખુશામતના જમાનામાં વિરલ એવી પ્રમાણિકતા અને સ્વતંત્રતા પિટ્ટમાં હતી. તેની અસાધારણ શક્તિ અને દીર્ઘદૃષ્ટિને લીધે તેણે રાજનીતિમાં જે સફળતા મેળવી, તેથી અધિકાર પદે આવતાં તેણે કહેલાં વચન મિથ્યાભિમાનનાં નહિ, પણ અચલ આત્મશ્રદ્ધાનાં હતાં એમ લાગે છે. જે જમાનામાં કુલીન જમીનદારે પ્રજાના પ્રતિનિધિને નામે વહીવટ ચલાવતા હતા, તે જમાનામાં તેણે નિઃસ્વાર્થ અને નિષ્કલંક જાહેરજીવનની પવિત્ર ભાવના કેળવી, અને દેશના રાજદ્વારી વાતાવરણ ઉપર અમાપ અસર કરી. તેનામાં અસંગતિ, વધારે પડતું આત્માન, આડંબર આદિ હતાં, છતાં તે ઈલેન્ડને મહાન પુરુષ હતો. વિગ્રહના ભયંકર સમયમાં તેણે પક્ષભેદ ભૂલી જઈ પ્રોજવલ અને નિર્મળ દેશભક્તિ, અચૂક મનુષ્ય પરીક્ષા, અને નિસ્પૃહી વૃત્તિને લીધે હડધૂત થએલા જેકબાઈટ અને હાઈલેન્ડરને પણ