________________
૨૪૯ રાજીનામું આપ્યું. સત્તાના લેભે મંત્રીપદને વળગી રહેવાની આદત તેના ઉપર કલંક સમાન ગણાય છે. - કાઈરેટ અને પેહામ ભાઈએ એ જમાનામાં મુખ્ય મંત્રી જોડે મંત્રીમંડળે રાજીનામું આપવાની અર્વાચીન પ્રથા ચાલતી ન હતી. વૈભેલ ગયો, પણ તેના સાથીઓ રહ્યા. લોર્ડ કાર્ટરેટ નામે ચતુર અને વિદ્વાન અમીરને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યો. જર્મન ભાષાના જ્ઞાનથી તે રાજાની પ્રીતિનું પાત્ર બન્યા. તેના અમલમાં ચાલેલા ઑસ્ટ્રિઅન વિગ્રહમાં ખાસ જાણવા જેવું બન્યું ન હતું. બે વર્ષમાં પલ્હામ ભાઈઓએ તેનું સ્થાન લઈ લીધું. આ સાધારણ બુદ્ધિના બંને ભાઈઓએ વૈોલની નીતિને અનુસરીને કામ લેવા માંડયું, પણ તેના જેવી ભૂલે ન થાય તેવી સાવધાની રાખી. નાનો ભાઈ હેનરી મુખ્ય મંત્રી હતા. તેણે પાર્લમેન્ટમાં જે કોઈ સારું ભાષણ કરી જાણતા હોય, તેને મંત્રીમંડળમાં લેવા માંડે. મેટા ભાઈએ પિતાની બુદ્ધિને યોગ્ય કામ હાથમાં રાખ્યું. કેઈને લાંચ આપી, કોઈને અધિકાર આપી, અને કેઈની કંઈ કંઈ આકાંક્ષા અને આશા સંતોષી કે કડાં નાણું આપી પાર્લમેન્ટના અગ્રેસર સભાસદોને તેણે પ્રસન્ન રાખવા માંડ્યા. તેમના મંત્રીમંડળમાં હિંગ, ટેરી, અને જેકબાઈટ એમ પ્રત્યેક રાજદ્વારી વિચારના પુરુષો હતા. તેમના સમયમાં ઑસ્ટ્રિઆને ગાદીવારસાને વિગ્રહ અને જેકોબાઈટ બંડ એ બે મુખ્ય બનાવે છે.
ઔસ્ટિન ઉત્તરાધિકારને વિગ્રહઃ ઈ. સ. ૧૭૪૦–૧૭૪૮. ઍક્ટ્રિઆના અપુત્ર શહેનશાહ ચાર્જ છઠ્ઠાને મેરિયા રિસા નામે પુત્રી હતી. પિતાના મૃત્યુ પછી પિતાની પુત્રીને ગાદી મળે એ માટે તેણે એક મૃત્યુપત્ર (The Pragmatic Sanction) તૈયાર કરી યુરોપના મુખ્ય રાજાઓની
૧. શત્રુઓએ તેના પર કામ ચલાવવાની પેરવી કરી, પણ તેઓ ફાવ્યા નહિ. તેને ઓકસફર્ડનો અમીર બનાવી ૪,૦૦૦ પૌડનું વર્ષાસન બાંધી આપી રાજવે તેના કાર્યની કદર કરી. અમલ ઉતર્યા પછી પદવી માન્યાનો આ પહેલો દાખલો છે. અસલ લોકદષ્ટિમાં અવગણના પામેલા મંત્રીનું માથું ઉડાવી દેવામાં આવતું, અથવા ભારે સન કરવામાં આવતી. હવે એવા માણસને અમીર બનાવી આમની સભામાંથી વિવેકભરી વિદાય દેવાની યુક્તિ પાર્લમેન્ટને હાથ લાગી.