________________
૧૮૪
મળવા લાગી. એટસને ખાસ ઉતારે આપી તેની આસપાસ એકી રાખવામાં આવતી. તેને ૧૨૦૦ પન્ડનું વર્ષાસન બાંધી આપવામાં આવ્યું. તે કહે તેમાં ખરાખોટાની કોઈને પરવા ન હતી. નજીવા પુરાવા ઉપર અથવા પુરાવા વિના હજારે નિર્દોષ કેથેલિકને પકડવામાં આવતા, અને લેહીની નિરર્થક નદીઓ વહેતી. આમાં કેટલાક મોટા અમીરે પણ સપડાયા. ન્યાયાધીશે અને પંચ પણ કેથલિક વિરુદ્ધ કલાગણીને ઉશ્કેરતા. ઓટસનું જોઈને અનેક લુચ્ચા માણસ તરકટની વાત ચલાવે, અને તેથી દેશમાં ખૂનામરકી ચાલે એ સ્થિતિ આવી પહોંચી.
બાતલ બિલઃ નિઃસંતાન ચાર્લ્સ પછી તેનો ભાઈ હકદાર વારસ હતો. પરંતુ કેથલિક પ્રત્યેના વિરોધને લાભ લઈ શેફટઅરી અને તેના સાથીઓ ર્કનો હક ડુબાવવાની પેરવી કરવા લાગ્યા. ઈ. સ. ૧૬૭૯માં પાર્લમેન્ટ મળી, અને ડેબીને ટાવરગઢમાં મોકલવામાં આવ્યો. ત્યાર બાદ ડયૂક ઑઃ યોર્કને કે કોઈ રેમન કેથેલિકને ગાદી ન મળે, એવી મતલબનો
ખરડો આમની સભામાં આવ્યો. ગમે તે ઉપાયે તે ખરડો પસાર ન થાય - તે માટે ચાર્લ્સ હેબીઆસ કોર્પસ” ધારો મંજુર કરી લેકની દૃષ્ટિ બીજી દિશામાં વાળી. રાજાની ઈતરાથી અનેક વર્ષો સુધી કારાવાસ સેવવો પડે અને તપાસ ચાલેજ નહિ, એમ અત્યાર સુધી બનતું. ઝેંટ લોકોની રાણી મેરી, વૈોલ્ટર રેલી, લેંડ આદિ અનેક જણે લાંબી મુદત સુધી વગર તપાસે બંદીખાનાં સેવ્યાં હતાં. આમ રાજાને પૂછનાર કોઈ ન હતું. આ કાયદાથી એવું બંધન થયું, કે કોઈ પણ માણસને અમુક દિવસ કેદમાં રાખ્યા પછી તેની તપાસ ચલાવવી જોઈએ; એવાની અરજી ગુનેગારનાં સગાંવહાલાં ન્યાયાધીશને કરી શકે, અને તપાસ પણ ચલાવવી પડે. વળી એકજ અપરાધને માટે કોઈને બે વાર સજા થાય નહિ. લોકાનું મન મનાવવા માટે રાજાએ આ કાયદા ઉપર સહી કરી પાર્ટમેન્ટ વીખેરી નાખી. - ચાર્લ્સ ફરીથી વરણી કરવાનાં ફરમાન કાઢયાં, પણ પાર્લમેન્ટ બેલાવી નહિ, એટલે દેશમાં બે પક્ષ પડ્યા. જે પક્ષે રાજાને પાર્લમેન્ટ બોલાવવાની પ્રાર્થના કરી, તે “પ્રાથ” (Petitioner) કહેવાય. બીજા પક્ષે તેને ઉત્તર