________________
૧૯મ
સારે પ્રસંગ મળે. તેણે આમંત્રણ સ્વીકાર્યું, અને લશ્કર તૈયાર કરવા માંડયું. ઈગ્લેન્ડના એલચીએ જેમ્સને ખબર પહોંચાડી, પણ બુદ્ધિહીણ રાજાએ માન્યું નહિ. લુઈએ વિલિયમને ઈગ્લેન્ડ નહિ જવાની ચેતવણી આપી, ત્યારે જેસે કહ્યું કે લુઈએ “સંરક્ષક થવાને દંભ કરવાની જરૂર નથી. એથી લઈને ચીડ ચડી, અને તેણે જેમ્સને મદદ કરી નહિ.
વિહગ લેકને મદદગાર વિલિયમ ઈ. સ. ૧૬૮૮ના નવેમ્બરની પમી તારીખે ઈગ્લેન્ડને કિનારે ઉતર્યો. તે લંડન તરફ કૂચ કરતો ચાલ્યો, એટલે રસ્તામાં અનેક માણસો તેના નેજા નીચે આવવા લાગ્યાં. રાજાના હજુરીઆ, લશ્કરી અમલદારો, અને વિહગ આગેવાનો તેને જઈ મળ્યા. ચર્ચિલની સરદારી નીચેનું રાજાનું લશ્કર પણ તેને મળી ગયું. જેમ્સની પ્રિય પુત્રી એન અને તેના પતિએ તેનો પક્ષ છેડી દીધો, ત્યારે તેનાં ગાત્રો ગળી ગયાં, તેની આંખમાં આંસુ આવ્યાં, અને તે બે, “અરે ? મારાં સંતાનો પણ મને તજી જાય છે.” પછી જેસે રાણીને અને યુવરાજને ફ્રાન્સમેલી દીધાં, અને તે પોતે પણ ત્યાં જવા તૈયાર થયો. રસ્તામાં તે માછીમારોના હાથમાં સપડાયો, એટલે તેઓ તેને લંડન પાછો લાવ્યા. પરંતુ પદભ્રષ્ટ રાજા સંઘરવાનું જોખમ ખેડવા વિલિયમ તૈયાર ન હતો, એટલે તેણે જેમ્સને કાન્સ જવાની સરળતા કરી આપી. લુઈએ જેમ્સને આવકાર આપ્યો, અને વર્ષાસન બાંધી આપ્યું.
વિલિયમે રાજ્યની લગામ હાથમાં લેતા પહેલાં સેનાપતિ મન્કની પેઠે હંગામી પાર્લમેન્ટ બેલાવી. તેમાં અમીરે અને ચાર્લ્સ બીજાના સમયના કેટલાક સભ્ય આવ્યા. વિલિયમના સ્થાનને નિર્ણય કરવામાં પાર્લમેન્ટને મહેનત પડી. કેટલાક ટોરી સભ્યોની ઈચ્છા એવી હતી, કે જેમ્સ સારી રીતે રાજ્ય ચલાવે છે તેને પાછા બોલાવો, પણ કેટલાકની ઇચ્છા વિલિયમને દેશરક્ષક બનાવવાની હતી, અને કેટલાક મેરીને ગાદી આપવા માગતા હતા. વિલિયમે સસરાની ગાદી સાચવવાની કે રાણીના સેવક થવાની સ્પષ્ટ ના પાડી. આખરે એ ઠરાવ થયે કે વિલિયમ અને મેરીને સંયુક્ત રાજ્યાભિષેક કરવો, અને ઉભયના સમાન હક સ્વીકારવા.