________________
૨૩૭ વિહગ પક્ષનું પ્રાબલ્ય હેનવર વંશના આરંભથી લગભગ પચાસ વર્ષ સુધી વિહગ પક્ષ જોરદાર રહ્યો. પહેલા બે રાજાએ દેશના રાજકાજમાં પ્રધાનનાં સોગઠાં જેવા હતા. અનેક વેળા મંત્રીમંડળે બદલાયાં હશે, પરંતુ તે સર્વ વિહગ પક્ષનાંજ. આનું કારણ શું?
એનના મૃત્યુસમયે ટેરી પક્ષ પ્રબળ હોવા છતાં તેમાં ફાટફૂટ પડી હતી. તેમાંના એક પક્ષે ટુઅર્ટ જેમ્સને ગાદીએ લાવવા માટે પ્રપંચ ખેલ્યો હતા. પરંતુ રોમન કેથલિક રાજા ગાદીએ આવે એ વાત પ્રજાને ગમતી ન હતી, એટલે દેશમાં ટેરીઓ અળખામણું થઈ પડયા) તેઓ ટુઅર્ટ અને કેથલિક પંથના પક્ષકારે મનાવા લાગ્યા. રાજ્યક્રાન્તિથી થએલું દેશન્નતિનું કાર્ય સ્થિર કરવાને પ્રેટેસ્ટન્ટ રાજ ગાદીએ આવા જોઈએ, અને એ રાજા જર્મન હોય તો પણ તે સ્વીકારવા પ્રજા તૈયાર હતીવિહગ પક્ષ પ્રેટેસ્ટન્ટ રાજાનો હિમાયતી હતો, એટલે આવી સ્થિતિમાં રાજ્યક્રાન્તિના સુધારાનું રક્ષણ કરવાનો ભાર તેમના ઉપર છે એમ પ્રજા માનવા લાગી. ટેરીઓમાં કોઈ ચતુર નેતા ન હતા, પણ હિગ પક્ષમાં ચતુર, દેશકાલા, અને બુદ્ધિશાળી પુરુષે ઘણુ હતા. તેઓ અંદર અંદર ગમે તેટલે દ્વેષ કરતા હોય, પણ ટોરીની વાત આવે ત્યાં એકત્ર થઈ જતા. ટેરીઓના ધાર્મિક જુલમોથી ત્રાસેલા અપ્રતિજ્ઞાગ્રાહીઓ પણ પૅર્જ અને તેના સહાયક હિગને અનમેદન આપવા લાગ્યા. સંસ્થાનોના વિકાસને અને વ્યાપારવૃદ્ધિને સ્વાભાવિક ચતુરાઈથી ઉત્તેજન આપનાર બિહગ પક્ષ ઉપર વેપારીઓ અને શ્રીમંતની કૃપા થવા લાગી. આમની સભામાં વિહગ પક્ષના અનુયાયીઓ ઘણા હતા. તે સમયે પાર્લમેન્ટ સંપૂર્ણ લેકપ્રતિનિધિત્વવાળી ન હતી. પ્રાચીન કાળમાં જે શહેરને સભ્ય મોકલવાનો અધિકાર આપવામાં આવ્યું હતું, તેમાંથી કેટલાંક ઉજજડ થઈ ગયાં હતાં, અને કેટલાંક ક્ષીણ થઈ ગયાં હતાં. પરંતુ કેટલાંક નવાં શહેરે વ્યાપાર-ઉદ્યોગને લીધે વધારે અગત્યનાં થયાં હતાં, છતાં તેમને પ્રતિનિધિઓ મોકલવાને હક મળ્યો ન હતો. આથી જમીનદારે અને ધનિકે લાગવગ વાપરી ઉજ્જડ ગામડાં ખરીદી લઈ ત્યાંથી મનમાન્યા પ્રતિનિધિઓ મેકલવાની ગોઠવણ કરતા. આ ભાતી પ્રતિનિધિએ માલીકની રૂખ જોઈને હિગ પક્ષમાં રહેતા, અને તેનું પ્રાબલ્ય