________________
૧૮૧
સાઉથ વેલ્ડના યુદ્ધમાં જીત્યા. ઇ. સ. ૧૬૭૪માં ઈંગ્લેન્ડે હેાલેન્ડ જોડે સંધિ કરી. આમાં વલંદાઓએ ત્રણ લાખ પૌન્ડ દંડ ભરવાની, અને અંગ્રેજી વહાણાને વલંદાઓનાં વહાણાએ સઢ નમાવી માન આપવાની સતા કરવામાં આવી. વિગ્રહોથી નાનકડા હાલેન્ડના વેપાર તૂટી ગયા, અને ઈંગ્લેન્ડ જોડેની વ્યાપારી સ્પર્ધાના અંત આવ્યું. ફ્રાન્સ જોડે ઇ. સ. ૧૬૭૮માં નિમૂજનની સંધિ થઈ, ત્યાં સુધી હેાલેન્ડે યુદ્ધ ચાલુ રાખ્યું.
રહેમનું જાહેરનામું અને કસોટીના કાયદેાઃ ઇ.સ. ૧૬૭૨માં રાજાના ભાઈ ડયૂક આવ્ યાકે કેથેાલિક પંથને જાહેરમાં સ્વીકાર કર્યો, એટલે લેાકેા ચમકયાઃ કારણ કે ચાર્ક ગાદીવારસ હતા, અને કૅથેાલિક રાજા ગાદીએ આવે એ પ્રજાને પસંદ ન હતું. હવે પ્રજાની પ્યૂરિટન લોકા પ્રત્યેનીં તિરસ્કાર અને ભયની દૃષ્ટિ કથાલિકા પ્રત્યે વળવા લાગી. તેમાં વાત ચા કે રાજા પણ અંતરથી કેથેાલિક છે. એટલામાં રાજાએ લુઈ ને આપેલા વચન પ્રમાણે ‘રહેમનું જાહેરનામું' બહાર પાડી એપિસ્કાપલ સિવાયના અંતર ધર્મીઓને પોતાની ધર્મવિધિ પ્રમાણે ઉપાસના કરવાની રત્ન આપી, અને તેમની વિરુદ્ધના કાયદાને। અમલ થતા અટકાવ્યા, ઇ. સ. ૧૬૭૨સભાબંધીના કાયદાના ભંગ કરવા માટે તુરંગમાં ગએલા સંકડા મનુષ્યા મુક્ત થયા. ફ્રાન્સ જોડે મૈત્રી બાંધી હોલેન્ડ જોડે ચાર્લ્સે વિગ્રહ આર્યાં, ત્યારથી પાર્લમેન્ટને રાજા ઉપર વહેમ હતા, તેમાં આ જાહેરનામાથી વધારેા થયેા. એ સાથે સભ્યા સમજી ગયા કે ઈતર ધર્મીને છૂટ આપવાને બહાને રાજા કૅથોલિક લોકોને છૂટ આપવા માગે છે. આથી રાજભક્તિનાં પૂર ઉતરી ગયાં, અને પ્રજા પોતાના હકની રક્ષા કરવા તૈયાર થઈ. કાયદાના અમલ અટકાવવાની રાજાને શી સત્તા છે, એમ સભ્યા છડેચોક પૂવા લાગ્યા. રાજા કાયદાને મનમાન્યા અમલ કરી શકતા હાય, તેા કાયદાની જરૂર શી છે? હવે સ્વચ્છંદ રાજસત્તાને અટકાવવાના પાકાર ઊયા. ચતુર રાજા સમય વર્તી ગયા. તેની ઇચ્છા ‘દેશમાં બળવા જગાડવાની કે પ્રજા જોડે વિરાધ કરવાની ન હતી, કે પિતાની પેઠે શિરચ્છેદ કરાવવાની ન હતી. તેણે એ જાહેરનામું પાછું ખેંચી લીધું, અને પછી ધર્મ સંબંધી સુધારા કે ફેરફાર કરવાનું હંમેશને માટે છેડી દીધું.