________________
ઉત્કંઠા હતી, પણ તેમ કરવાની છાતી ચાલતી ન હતી. અંતે એમ ઠરાવવામાં આવ્યું, કે એ જમીનદારોની કે જમીન જપ્ત કરી રાજપક્ષના આગેવાનોને આપવી, અને આયર્લેન્ડમાંથી ઢેર, માંસ, અને માખણ ઈગ્લેન્ડ મોકલવાની મના કરવી.
દરબારી પાર્લમેન્ટ: ૧૬૬૧–૧૬ ૬૯. ઈ. સ. ૧૬૬૧માં રાજભક્તિના આવેશમાં લેકેએ રાજપક્ષના સભ્યોને મોકલ્યા. આ પાર્લમેન્ટ “લાંબી પાર્લમેન્ટના કાયદા રદ કરીને એવું ઠરાવ્યું, કે રાજાની સંમતિ વિના પાર્લમેન્ટથી કાયદો થઈ શકે નહિ, રાજા સામે યુદ્ધ થઈ શકે નહિ, અને સૈન્યનું ઉપરીપદ રાજાને હસ્તક રહેવું જોઈએ. છતાં ‘ત્રિવાષિકે કાયદે” કરીને એવું ઠરાવ્યું, કે દર ત્રણ વર્ષે પાર્લામેન્ટ એક વાર અવશ્ય મળવી જોઈએ.
ચાટર્સ બીજાનું મુખ્ય કાર્ય ધાર્મિક સુધારાનું હતું, તેથી તેંડના સમયની ધર્મ ખાતાની વ્યવસ્થા સજીવન કરવામાં આવી. અસલના દીક્ષિતોને તેમની જગાએ દાખલ કરવામાં આવ્યા, અને ખાલી જગાએ બીજા દીક્ષિત નીમવામાં આવ્યા. પરંતુ નાનાં મંડળોના યૂરિટન પાદરીએ પ્રાર્થનામાળાની પોથીને તિરસ્કારથી જોતા હતા એટલી તેમાં મુશ્કેલી હતી. આ સ્થિતિમાંથી તોડ કાઢવા રાજાએ ધર્મસભા બોલાવી, અને તેમાં દીક્ષિત તથા પ્રેમ્બિટિરિયન આગેવાનોને નોતર્યા. પરંતુ તેનું શુભ પરિણામ આવવાને બદલે તકરાર વધી પડી.
ધર્મછૂટનું વચન આપનાર રાજા પાર્લમેન્ટને યૂરિટને વિરુદ્ધના કડક કાયદા કરતાં અટકાવી શક્યો નહિ. વાસ્તવિક રીતે રાજાને એપિસ્કેપલ સિવાય બીજા પંથ પ્રત્યે અણગમો હતો. યુરિટને, પ્રેઅિટિરિયનો અને નિરંકુશવાદીઓએ તેના પિતા સામે યુદ્ધમાં ભાગ લીધો હતો, એ તે ભૂલી ગયો નહોતો. ઈ. સ. ૧૬૬૧માં “કોર્પોરેશન ઍકટ’ પસાર થયોઃ એથી કોર્પોરેશનના સભ્ય ઈગ્લેન્ડની ધર્મવિધિને માન આપવાનું અને “પવિત્ર સંધિ અને પ્રતિજ્ઞાને ત્યાગ કરવાનું કર્યું. પછી યુનિફોર્સિટી એકટથી પ્રત્યેક ધર્મગુરુને પ્રાર્થનામાળાનું પુસ્તક વાપરવાની ફરજ પાડવામાં આવી. વિદ્વાન, શ્રદ્ધાળુ, અને બુદ્ધિમાન ધર્મગુરુઓએ ધર્મ ખાતર રાજીનામાં આપ્યાં. તેઓ
૧. તેઓ “Dissentersને નામે પ્રસિદ્ધ છે. તેમને ધર્માલયોમાંથી, શાળાઓમાંથી, અને વિદ્યાપીઠમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતા..