________________
૧૭૩
તે
ધજાપતાકાથી શણગારવામાં આવ્યાં, અને લેકે રંગબેરંગી વસ્ત્રો પહેરી રાજાને સન્માન આપવા બહાર નીકળી પડ્યા. ભુડી અને કાળમુખી સૈન્યસત્તાને
અંત આવ્યો, અને હવે સુખવારો આવશે એમ લોકોએ માન્યું. મ્યુરિટનોએ લેકિનો આનંદીવ, મોજમઝાં, નાચરંગ, સાઠમારી વગેરે બંધ કર્યા હતા, તે બધું ફરીથી શરૂ થશે એવી તેમની આશા હતી.
ચાન્સ શાન્ત સ્વભાવને, ઉડે, અપ્રમાણિક, સ્વાથ, વિષયી, લુચ્ચે, એશઆરામી, અને આળસુ હતો. તેની બાલ્યાવસ્થા
રખડપટ્ટીમાં વીતી હતી, એટલે ન. .. 3 ને
તેને દેશ માટે પ્રીતિ નહોતી. ચાર્લ્સ બીજે
ઉદારતા અને દયા કે ધર્મ સબંધી લાગણી તેનામાં ન હતીઃ માત્ર તેની રીતભાત અને બોલવાની છટા મનહર હતી. તેને પિતાનું ધાર્યું કરવાની ટેવ હતી, છતાં પાર્લમેન્ટને છંછેડીને કે તેની વિરુદ્ધ જઈને કંઈ પણ કરવાની તેને દછી નહોતી. તેનામાં અનેક યુક્તિઓ અને ઉડી પહોંચી હતી; કયારે સામું થવું, અને ક્યારે લટી પડવું એ તે સમજતો હતો. રાજના ઈશ્વરી હક વિષે તેનામાં એવા મમત હતા, કે પ્રાણાને પણ તે છોડવા એ તૈયાર ન હતો. પરંતુ તેની ચતુરાઈથી તેના વિચારો એકદમ જણાતા નહિ, એટલે પ્રજા તેની સામે થઈ નહિ. તે કહેતા કે “મારે ફરીથી યુરોપની યાત્રા કરવાની ઇચ્છા નથી.” તેના જીવનમાં બે મુરાદે હતીઃ (૧) પિતાનું ધાર્યું કરવું, અને પાર્લમેન્ટને હિસાબ ન આપવો પડે તે રીતે વિલાસને માટે દ્રવ્ય મેળવવું (૨) કેથલિક ધર્મની ફરી સ્થાપના કરવી; કારણ કે તે માનતો હતો કે પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળવાથી લોકો સ્વતંત્ર મિજાજના થઈ જાય છે. તે પોતે પણ અંતરમાં કેથલિક હતા.