________________
લાગ્યા. આ સર્વેમાં લેબર્ટ બળવાન સરદાર હતા. તે સૈન્યને આગેવાન બનીને લંડન ગયે, અને તેણે પાર્લમેન્ટને સજીવન કરી. પરંતુ પાર્લમેન્ટ અને સૈન્ય વચ્ચે સર્વોપરિ સત્તાને માટે વિખવાદ થયે. પાર્લમેન્ટે ૧૬૫૯ના
કબરમાં લૅમ્બર્ટ અને તેના મળતીઓનો અધિકાર લઈ લીધો. અમલદારોએ પાર્લમેન્ટ વિખેરી વેર વાળ્યું, અને રાજ્ય ચલાવવા લશ્કરી સમિતિ નીમી.
આ સમયે મંક નામે કાર્યદક્ષ, ચતુર, અને વ્યવહારકુશળ સરદારે અવ્યવસ્થાનો અંત આણવાનો વિચાર કર્યો. તેણે સ્વદેશપ્રેમને વશ થઈ રાજાનો. પક્ષ લેવાનો નિશ્ચય કર્યો. તેણે લશ્કરી સમિતિની સત્તા સ્વીકારી નહિ. ઈ. સ. ૧૬૬૦માં તે સરહદ ઓળંગી લંડન તરફ ઉપડે. લંડનમાં આવી તેણે સૈન્ય, પાર્લમેન્ટ, અને પ્રજાની ઈચ્છાઓ અને ફરિયાદો સાંભળી. તેણે પાર્લમેન્ટ બેલાવી, અને ઈ. સ. ૧૬૪૮માં કાઢી મૂકવામાં આવેલા પ્રેઅિટિરિયન સભ્યને ફરીથી નોતર્યા. લેકે આ સાંભળી ખુશી થયા. આ પ્રમાણે ફરી મળેલી લાંબી પાલમેન્ટ ડહાપણ વાપરીને સ્વેચ્છાપૂર્વક વિસર્જન થઈ નવી અને સ્વતંત્ર પાર્લમેન્ટ મળી, તેમાં રાજાના પક્ષના અને મધ્યમ વિચારના ઘણું પુરુષો આવ્યા. આથી સૈન્યસત્તાના દિવસે પૂરા થયા, અને ચારે તરફ રાજભકિતની ભરતી ચડવા લાગી. સર્વને એમ લાગતું હતું કે જુની રાજ્ય-. વ્યવસ્થા ફરી દાખલ થવી જોઈએ. આ વખતે રાજપુત્ર ચાર્લ્સ હોલેન્ડમાં હતું. તેણે મંકની જોડે વિષ્ટિ ચલાવી અને તેની સૂચનાથી ડાથી જાહેરનામું પ્રસિદ્ધ કરી સર્વને ક્ષમા આપવાનું, સર્વને ધર્મની છૂટ આપવાનું, અને પ્રજાની ઇચ્છાનુસાર રાજ્ય ચલાવવાનું વચન આપ્યું. ત્યાર બાદ નવી કામચલાઉ પાલમેન્ટ (Convention) ચાર્જને ગાદી સ્વીકારવાનું આમંત્રણ આપ્યું. એથી. ચાર્લ્સ ડેવર આવ્યો, અને ત્યાંથી લોકોને હર્ષનાદ સાંભળતે લંડન ગયો.